SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યો. રાજા બીજા વિભાગમાં પહોંચ્યો. તેણે જોયું તો એમાં કશું જ ન હતું. દીવાલો સૂની હતી. રાજાની આંખો પહોળી થઈ ગઈ. રાજાએ પૂછ્યું, શું તને ખબર નથી, છ મહિના તો પૂરા થઈ ગયા ? ચિત્રકારે કહ્યું, ખબર છે. તેં એકપણ ચિત્ર તૈયાર કર્યું નથી ? હા, નથી કર્યું. તો તેં શું કર્યું ? શું કહું ? મેં ઘણું બધું કર્યું છે છતાં કશું જ નથી કર્યું ! તારે જીવવું છે કે મરવું છે ? તેં મારી સાથે દગો કેમ કર્યો ? મહારાજ ! મેં કોઈ દગો નથી કર્યો. ચિત્રકારે રહસ્ય છુપાવી રાખ્યું. રાજા રાતોપીળો થઈ ગયો. ચિત્રકારે કહ્યું, મહારાજ ! આપ ચિત્ર જોવા ઇચ્છતા હો તો વચ્ચેથી આ પરદો ખસેડાવી લો. જ્યાં સુધી પરદો હશે ત્યાં સુધી મારું ચિત્ર આપને દેખાશે નહિ. પરદો ખસેડવામાં આવ્યો. રાજાએ જોયું તો સમગ્ર ખંડ ચિત્રોથી ઝગમગી ઊઠ્યો. રાજાને પોતાની આંખો ઉપર વિશ્વાસ બેસતો નહોતો. રાજા વિસ્મયભર્યા સ્વરે બોલ્યો, અરે ચિત્રકાર! શું આ જાદુ છે ? હા, આ એક જાદુ છે. રાજાએ પરદો ફરીથી લગાવડાવ્યો. તમામ ચિત્રો છૂમંતર થઈ ગયાં. ફરીથી પરદો ખસેડ્યો ફરીથી સમગ્ર ખંડ ચિત્રોથી ભરાઈ ગયો. રાજાએ પૂછ્યું, આ શું છે ? તેણે કહ્યું, મહારાજ ! મેં એકપણ ચિત્ર બનાવ્યું નથી. છ મહિના સુધી દીવાલોને ઘસીઘસીને માત્ર ઘૂંટી છે. આ દીવાલો હવે પારદર્શક બની ગઈ છે. જે કંઈ તેની સામે હશે તે આ દીવાલોમાં પ્રતિબિંબિત થઈ જશે. ઘૂંટવું એટલે અધ્યાત્મ આપણી સામે પણ બે ચિત્રકારો છે ઃ એક પીંછી ચલાવનારો અને બીજો ઘૂંટવાનું કામ કરનારો. આ ઘૂંટવું એ આપણું અધ્યાત્મ છે. અધ્યાત્મ ભીતરનું રહસ્ય છે. જ્યાં કોઈ ચિત્ર નથી, માત્ર ચૈતન્ય છે, માત્ર માર્જન અને શોધન છે ત્યાં. અડધો ખંડ આપણો ધર્મ છે. જેમાં વિવિધ પ્રકારનાં ચિત્રો બનેલાં છે. ક્યારેક આપણે સહિષ્ણુતાનું માનસિક ચિત્ર બનાવ્યું અસ્તિત્વ અને અહિંસા – ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy