________________
શબ્દ પદાર્થ સુધી પણ પહોંચી શકતો નથી. આપણે તેનો પદાર્થ સાથે જબરદસ્તીથી સંબંધ જોડી દઈએ છીએ. આખરે તો તે એક સંક્ત જ છે. એક શબ્દ ઘડી કાઢ્યો - આત્મા. આ શબ્દ આજે ખૂબ પ્રચલિત છે. પાંચ-દસ હજાર વર્ષ પહેલાં આપણા પૂર્વજોએ શું કહ્યું હતું ? એમની પાસે કયો શબ્દ હતો? એમની પાસે કઈ ભાષા હતી? આપણે તે નથી જાણતા. ભગવાન ઋષભના સમયમાં આત્માને શું કહેવામાં આવતો હતો, તેની આપણને ખબર નથી. શબ્દનું કાર્ય માત્ર સંક્તિ કરવાનું છે. તેથી કહેવામાં આવ્યું કે શબ્દ આત્મા સુધી પહોંચી શકતો નથી. શબ્દ દ્વારા આત્માને બતાવી શકાય તેમ નથી. તર્કતીત
બીજી વાત એવી કહેવામાં આવી કે કોઈપણ તર્ક એવો નથી, જે આત્માને સમજાવી શકે. આત્મા તસ્કૃતીત છે. જો કે આત્મવાદી આચાર્યોએ તર્ક દ્વારા આત્માને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ હકીકત એ છે કે તર્ક દ્વારા આત્માને સમજાવી શકાતો નથી. તે તર્કથી અગમ્ય છે. સાચા અર્થમાં તે અતીન્દ્રિય ચેતના દ્વારા ગમ્ય છે. જો કે ક્યારેક ક્યારેક કામ ચલાવવા માટે આપણે તર્કની મદદ લઈ લઈએ છીએ, પરંતુ તર્ક વાસ્તવિકતા સુધી આપણો સંગાથ કરતો નથી.
બુદ્ધિ પણ ભાવના સુધી પહોંચતી નથી, તે વચ્ચે જ અટકી જાય છે. બુદ્ધિ શબ્દ અને તર્કના સહારે કામ કરે છે. એ બન્ને સાથ ન આપે તો બુદ્ધિ અપંગ બની જાય છે. શબ્દ, તર્ક અને બુદ્ધિ વડે આત્માને જાણી શકાતો નથી. શબ્દ, તર્ક અને બુદ્ધિ મૂર્ત તત્ત્વોને પકડી શકે છે, અમૂર્ત તત્ત્વોને નહીં. અમૂર્ત પદાર્થની સ્વીકૃતિનો અર્થ
પદાર્થના બે ભાગ પડી ગયા- મૂર્ત પદાર્થ અને અમૂર્ત પદાર્થ, રૂપી અને અરૂપી. આ તફાવત જે દાર્શનિકે દર્શાવ્યો છે તે ખૂબ મહાન દાર્શનિક હશે. એમ લાગે છે કે મૂર્તિ અને અમૂર્તિનું વર્ગીકરણ સૌપ્રથમ ભગવાન મહાવીરે પ્રસ્તુત કર્યું, જેન આચાર્યોએ પ્રસ્તુત કર્યું. ભગવાને પાંચ અસ્તિકાયોનું પ્રતિપાદન કર્યું, તેમાં ચાર અરૂપી છે, અમૂર્ત છે. તે દેખાતા નથી. એક રૂપી અને મૂર્ત છે પુગલ. તે સૌકોઈ માટે ગમ્ય છે. એક નવો પ્રત્યય, એક નવો કોન્સેપ્ટ (concept) પ્રસ્તુત થઈ ગયો- જગતમાં કેટલાક પદાર્થો એવા છે કે જે રૂપવાન નથી, અરૂપવાન
– અસ્તિત્વ અને અહિંસા , ૨૧૪ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org