________________
તત્ત્વો ઘણાં બધાં છે. ભટ્ટ અકલંકે કહ્યું – ચેતનાની દૃષ્ટિએ આત્મા આત્મા છે, બાકીના ગુણોની દૃષ્ટિએ તે અનાત્મા છે.
પ્રમેયત્વાદિભિઃ ધર્મે, અચિદાત્મા ચિદાત્મકઃ | જ્ઞાનદર્શનતસ્તસ્મા, ચેતનાડચેતનાત્મકઃ //
પુસ્તકમાં ચેતનાની શક્તિ નથી અને આત્મામાં જ્ઞાનની શક્તિ છે, ચેતનાની શક્તિ છે. આત્મા અને પુદ્ગલ વચ્ચે આટલો જ તફાવત છે. પુગલ મૂર્તિ છે અને આત્મા અમૂર્ત છે. આપણે આકાશની દૃષ્ટિએ જોઈએ. આકાશ પણ અમૂર્ત છે અને આત્મા પણ અમૂર્તિ છે. આકાશ પણ વસ્તુ છે અને આત્મા પણ વસ્તુ છે. તફાવત પેદા કરનાર એક તત્ત્વ છે, એક વિશેષ ગુણ છે – ચેતના. તે આત્મામાં છે, આકાશમાં નથી. આપણે ભેદ કરનારી એક રેખાને આધારે બાકીની વાતોને વિસારી દઈએ છીએ. સમતાવાદ
અહિંસાની ચેતનાને જગાડવા માટે આ બન્ને સૂત્રો સમતાવાદ અને એકાત્મવાદે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ભેદનયની દૃષ્ટિએ વિચાર કરીએ તો એમ કહી શકાય કે આત્મા અને પુદ્ગલ વચ્ચે તફાવત છે. ભેદનયની દૃષ્ટિએ એમ પણ કહી શકાય કે પ્રત્યેક વ્યક્તિનો આત્મા સ્વતંત્ર છે. જેટલી વ્યક્તિઓ છે, જેટલાં પ્રાણી છે એટલા જ આત્માઓ છે. પ્રત્યેક આત્માનું અલગ અસ્તિત્વ સ્વીકારીએ તો સમતાવાદ ફલિત થશે. પ્રત્યેક આત્મા સ્વતંત્ર છે એનો અર્થ એ છે કે જેવો મારો આત્મા છે એવો જ બીજા માણસોનો પણ આત્મા છે, એવો જ પશુઓનો પણ આત્મા છે અને છોડ – વૃક્ષોનો પણ એવો જ આત્મા છે. જેવો એક પ્રાણીનો આત્મા છે એવો જ અન્ય પ્રાણીઓનો આત્મા છે. સૌનો આત્મા સમાન છે આ છે સમતાવાદ એટલે કે આત્મતુલાવાદ. પ્રત્યેક આત્માને પોતાના આત્મા સમાન સમજો, કોઈને પજવશો નહિ, આ અભેદપ્રધાન નયની દષ્ટિએ સમાનતાની વાત પ્રસ્તુત થાય છે. વિચિત્ર પ્રયોગ
ભગવાન મહાવીરે કોઈ એક નય વડે જ તત્ત્વનું પ્રતિપાદન નથી કર્યું. જો નૈગમ નયની દૃષ્ટિએ વિચાર કરીએ તો આત્મા સમાન છે, જો સંગ્રહનયની દૃષ્ટિએ વિચાર કરીએ તો ફલિત થશે કે આત્મા એક છે. આ અભેદપ્રધાન દૃષ્ટિ છે. એનો અર્થ એ છે કે તું કોને મારવા ઇચ્છે
– અસ્તિત્વ અને અહિંસા ક ૨૦૭ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org