________________
છે? જેને તું મારવા ઇચ્છે છે, એ તું જ છે. આ અભેદનો પ્રયોગ પણ અત્યંત વ્યાવહારિક પ્રયોગ છે. કેટલાક સાધકોએ સંકલ્પશક્તિના આધારે અભેદના વિચિત્ર પ્રયોગ કર્યા છે. એક પાદરી ઈસા મસીહની મૂર્તિ સામે ઊભો રહી જાય છે. તે એવો સંકલ્પ કરે છે કે હું પોતે જ ઈસા છું. મારા હાથ શૂળી પર ચઢાવાઈ રહ્યા છે, મારા હાથમાંથી લોહી વહી રહ્યું છે. એ પાદરી પોતાના સંકલ્પમાં એકાત્મ થઈ જાય છે, અભેદ સધાઈ જાય છે, તેના હાથ લોહીથી ખરડાઈ જાય છે. સંમોહન ઃ અભેદ
સંમોહનમાં પણ અભેદનો પ્રયોગ થાય છે. વસ્તુની સાથે અભેદ સ્થાપી દેવામાં આવે છે. કોઈ વ્યક્તિને સંમોહિત કરવામાં આવી. તેના હાથમાં બરફનો એક ટુકડો મૂક્વામાં આવ્યો. પ્રશિક્ષકે સંમોહિત વ્યક્તિને સૂચના આપી કે, જુઓ ! તમારા હાથ ઉપર અંગારો મૂકવામાં આવ્યો છે, હવે ફોડલો પડશે. પ્રશિક્ષક એ વસ્તુની સાથે વ્યક્તિની ચેતનાનો એટલો બધો અભેદ સ્થાપી દે છે કે બરફના ટુકડા વડે તેના હાથમાં ફોડલા પડી જાય છે, વ્યક્તિ તેની પીડા ભોગવવા લાગે છે.
પ્રશ્ન એ છે કે આવું કઈ રીતે શક્ય બને ? આ કોઈ ચમત્કાર નથી. દ્રવ્યની સાથે અભેદ થવાથી આવી ઘટનાઓ ઘટી જાય છે. આપણો પ્રત્યેક પદાર્થ સાથે અભેદ સંબંધ છે, પરંતુ જ્યારે આપણે એને વિસારી દઈએ છીએ ત્યારે તમામ વિકલ્પો પેદા થાય છે. જો આપણે અભેદ તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ તો એકાત્મકતાની સ્થિતિ બની શકે છે. સંદર્ભ = પુસ્તક
આપણે આ સચ્ચાઈને એક ઉદાહરણ દ્વારા સમજીએ. મારા હાથમાં એક પુસ્તક છે. જો એમ પૂછવામાં આવે કે શું તમે તેને જાણો છો ? તો તમારો ઉત્તર હશે – હા, અમે એને જાણીએ છીએ. તે અમને દેખાય છે. પરંતુ હકીકતમાં આપણે તેને જાણતા નથી. આ પુસ્તક વડે સંસારનો કેટલો અભેદ છે તે આપણે ક્યાં જાણી શકીએ છીએ ? એક તરફ સંપૂર્ણ વિશ્વ, બ્રહ્માંડ અને સમગ્ર લોક છે, બીજી તરફ માત્ર એક પુસ્તક છે. આ પુસ્તક સાથે તમામ જોડાયેલાં છે. આ પુસ્તકમાં જેટલા આકાશપ્રદેશોનું અવગાહન છે, સ્પર્શ છે તેની સાથે જોડાયેલો છે આકાશપ્રદેશ, બીજા પુગલો. આપણે આગળ ને આગળ ચાલીએ, આ
-----— અસ્તિત્વ અને અહિંસા ક ૨૦૮ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org