SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સુકુમારતા છોડો સુકુમારતાને છોડવી, એ પણ એક ઉપાય છે. સુકુમારતાના ત્યાગ માટે શ્રમ આવશ્યક છે. શ્રમ ભલે પછી વિહારનો હોય, ગોચરીનો હોય કે આસનનો હોય. મહાવીરે કહ્યું – સૌકુમાર્ય છોડો. જ્યાં વધારે સુકુમારતા આવશે ત્યાં કામને નિમંત્રણ મળશે. કોમળ સેજ, કોમળ ગાદી અને ચાદરસુકુમારતાનાં આવાં જેટલાં ચિહ્નો છે તે સીધાં જ કામને નિમંત્રણ આપનારાં છે. જે વ્યક્તિ આ સૌકુમાર્યમાં ડૂબેલી રહેશે તેનું ના તો જ્ઞાનમાં મન લાગશે અને ના તો ધ્યાન કે સ્વાધ્યાયમાં ચિત્ત ચોંટશે. તેનું મન ઊફરું ઊફરું રહેશે. તે કોઈ કામ નહિ કરી શકે. સુકુમારતાથી સૌથી વધુ પ્રભાવિત થાય છે આપણું મસ્તિષ્ક. મોહનીય કર્મની અઠ્યાવીસ પ્રકતિઓ છે. એમાંથી એક પણ પ્રકૃતિનો તરંગ ઉદ્ભવે છે તો આપણું સમગ્ર મસ્તિષ્ક પ્રભાવિત થઈ જાય છે, તેમાં વિકૃતિ આવી જાય છે. જે વ્યક્તિ પોતાના મનને નિર્મળ રાખવા ઇચ્છે છે, મસ્તિષ્કને પવિત્ર રાખવા ઇચ્છે છે, તેણે અત્યંત સાવધાન રહેવું પડશે; જાગરૂક રહેવું પડશે, વારંવાર આત્મનિરીક્ષણ અને આત્મચિંતન કરવું પડશે. આટલા તીવ્ર પ્રયત્નો કરવાથી જ કામથી અકામ તરફનું પ્રસ્થાન શક્ય બનશે. આપણે એ દિશામાં પ્રયત્ન ના કરીએ તો અકામ-સિદ્ધિ અને બ્રહ્મચર્યસિદ્ધિનું સ્વપ્ન હરગીજ સફળ નહિ થાય. યથાર્થની ભૂમિકા આપણે યથાર્થને આધારે ચાલવું જોઈએ, માત્ર ઉપદેશ કે ભાવનાના આધારે નહિ. એ એક યથાર્થ છે કે જેટલી જાગરૂકતા રહેશે એટલી જ પવિત્રતા અને નિર્મળતા વધશે. જાગરૂકતામાં જેટલી ઊણપ આવશે એટલી જ નિર્મળતા અને પવિત્રતા પ્રભાવિત થશે. મહાવીરે અકામસિદ્ધિ માટે જે પ્રયોગો બતાવ્યા છે તે કામમાં લેવામાં આવે તો, જાગરૂકતાની સમસ્યાનહિ રહે. માણસ ચાલે છે. હવાનું મોજું આવે છે. અવરોધ ઊભો થઈ જાય છે. જો તેનો સંકલ્પ મજબૂત હશે તો અવરોધ ટકી નહિ શકે. જેનો સંલ્પ મજબૂત છે, જેનામાં પ્રયોગ કરવાની પ્રબળ ભાવના છે, તે “કામ” દ્વારા ઉપસ્થિત થનારી મુશ્કેલીઓને ધીમે ધીમે પાર કરતો જશે. એક દિવસ આકામની સ્થિતિ પામી જશે. જો પ્રયોગો નહિ કરવામાં -------- અસ્તિત્વ અને અહિંસા ૨૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy