________________
આવે, આત્મલોચન અને આત્મનિરીક્ષણનો ક્રમ નહિ ચાલે તો મન ઉપર મેલ જામતો જ જશે, અને તે એટલો ગાઢ બની જશે કે તેમાંથી દુર્ગધ આવવા લાગશે. કહેવામાં આવ્યું કે, તીર્થકરોના સ્વાસ કમળની સુગંધ જેવા સુગંધિત હોય છે. માત્ર તીર્થકરોના જ નહિ, એ તમામ વ્યક્તિઓના શ્વાસ પણ સારા અને સુગંધિત હોય છે, જેમના વિચારો સારા અને પવિત્ર હોય છે. ગંધના આધારે પણ માણસના ચારિત્રને જાણી શકાય છે. બ્રહ્મચર્યની સિદ્ધિના જે પ્રયોગો છે તેમને ઉપયોગમાં લઈએ, તો આપણા વિચારો પવિત્ર બનતા જશે. કામનાઓ, વાસનાઓ અને નિષેધાત્મક ભાવો ઉપર નિયંત્રણ સધાતું જશે. આપણે આપણા ઇષ્ટની સિદ્ધિ પ્રાપ્ત કરી લઈશું.
– અસ્તિત્વ અને અહિંસક ૨૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org