________________
તેના ઉપાયો પણ બતાવ્યા છે. આચારાંગ સૂત્રના પાંચમા અધ્યયનના એક આલાપકમાં અકામ સિદ્ધિના પ્રયોગો બતાવેલા છે. અકામ સિદ્ધિ અને બ્રહ્મચર્યની સિદ્ધિ એ માત્ર કલ્પનાથી શક્ય નથી. એ માટે પ્રયોગોના એક ક્રમમાંથી પસાર થવું પડશે.
બ્રહ્મચર્ય સિદ્ધિ અને અકામ સિદ્ધિનો એક ઉપાય છે – નિર્બળ આહાર. શરીરમાં ખૂબ બળ પેદા કરનારો આહાર ન લેવો જોઈએ. રૂસી વૈજ્ઞાનિક પ્રોફેસર આરોન બેલ્કીને કહ્યું કે આપણા મસ્તિષ્કમાં ત્રણસો ‘ન્યૂરો પેપ્ટાઈડ' હાર્મોન્સ પેદા થાય છે. બેન્કોનનો ખ્યાલ છે કે પ્રત્યેક વિચાર સાથે એક “ચૂરો પેપ્ટાઈડ હોર્મોન્સ પેદા થઈ જાય છે. એનો અર્થ છે- જેટલા વિચારો છે એટલા જ ‘ન્યૂરો પેપ્ટાઈડ' હાર્મોન્સ બને છે. બેલ્કીને એમ માની લીધું કે જેવી રીતે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોય છે એવી જ રીતે મસ્તિષ્ક એક ખૂબ મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, જે આટલાં બધાં રસાયણો પેદા કરે છે, એ રસાયણો આપણને પ્રભાવિત કરે છે. આહાર અને વ્યવચ્છરનો સંબંધ
આજના આહારશાસ્ત્રીઓ જણાવે છે કે જેવો આપણો વ્યવહાર હોય છે એવું જ ન્યૂરો ટ્રાન્સમીટર બને છે અને એ જ ન્યૂરો ટ્રાન્સમીટર આપણા વ્યવહારનું નિર્ધારણ કરે છે. આહારનો સંબંધ મસ્જિકમાં પેદા થનારાં રસાયણો સાથે છે. એ વાત ખૂબ જૂની છે પરંતુ તેની વ્યાખ્યાઓ આજે થઈ રહી છે. આજે દરેક વાત સાથે આહારનો સંબંધ જોડવામાં આવે છે. જો આપણે મનની પ્રસન્નતા, ચિત્તની નિર્મળતા, મસ્તિષ્કનું હળવાપણું અને વિચારોની પવિત્રતા ટકાવી રાખવી હોય તો સૌપ્રથમ આહાર તરફ ધ્યાન આપવું પડશે. જે વ્યક્તિ આ વાત તરફ ધ્યાન નથી આપતી તે કદાચ પોતાના જીવન સાથે રમત કરી રહી છે. એમ માનવું જોઈએ કે જીવનમાં સૌથી વધુ જરૂરી અને સૌથી વધુ ઉપેક્ષિત વિષય છે આહાર. મહાવીરે બ્રહ્મચર્યની સાધનાનો પ્રથમ પ્રયોગ બતાવ્યો – નિર્બળ આહાર કરો, સુપાચ્ય અને હલકો આહાર લો, ભારે પદાર્થો ન ખાવ. ઉણોદી
બ્રહ્મચર્યની સિદ્ધિનો એક ઉપાય છે – ઊણોદરી કરવી, ઓછું ખાવું, ઠાંસીઠાંસીને ના ખાવું, જે વ્યક્તિ વધારે ખાશે, વધુ પ્રમાણમાં ખાશે તેનો અપાન વાયુ દૂષિત થશે, તેની મળક્રિયા બગડી જશે. નાભિથી નીચે સુધીનો જે ભાગ છે તે અપાન વાયુનું સ્થાન છે. ત્યાંથી જ તમામ
-- અસ્તિત્વ અને અહિંસા કે ૨૦૦ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org