________________
અવદાન કર્યું, પરાક્રમને મહત્ત્વ આપ્યું. ક્યારેક એવો આક્ષેપ કરવામાં આવે છે કે અહિંસક લોકો કાયર હોય છે. આ જૂઠાણા ઉપર ભારે અચરજ થાય છે. મહાવીર અહિંસાના સૌથી પ્રબળ પક્ષધર હતા અને તેઓ સૌથી મોટા પરાક્રમી હતા. તેમને ડરાવનાર કોઈ સામે ન જઈ શક્યું. દેવતા, માનવ, રાક્ષસ, હિંસક પશુઓ કોઈપણ તેમને ડરાવી ન શક્યું. મહાવીરે લડવાનું શીખ્યું હતું. અહિંસાનું એટલું બધું શક્તિશાળી અસ્ત્ર એમની પાસે હતું કે જે કોઈ સામે આવતું તે ટકી ન શકતું. જીવનશૈલી બદલીએ
પરાક્રમ, શક્તિ અને લડાઈ એ ત્રણેયનો યોગ છે. લડાઈની રીતો અલગ અલગ છે. લિંકન જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના સલાહકારોએ સલાહ આપી કે તમે તમારા શત્રુઓને કારાવાસમાં પૂરી દો. લિંને જવાબ આપ્યો – ના, હું એવું નહિ કરું. હું મારા સવ્યવહારો દ્વારા તેમનું દિલ જીતવાનો પ્રયત્ન કરીશ. બે-ત્રણ વર્ષ પછી તમે જોજો - મારા શત્રુઓ મારા સારા મિત્રો બની ગયા હશે, શુભચિંતક બની ગયા હશે.
લડવાની રીત હિંસક પણ હોય છે અને અહિંસક પણ હોય છે. નિષેધાત્મક ભાવોથી પણ લડવામાં આવે છે અને વિધાયક ભાવોથી પણ આપણે લડી શકીએ છીએ. જે વ્યક્તિ મહાવીરની ભાષામાં લડવા ઇચ્છે, “આવો, લડીએ, નું નિમંત્રણ આપવા ઇચ્છે તેણે પોતાની જીવનશૈલી બદલવી પડશે. લડવાની એક શેલી એ છે કે જેમાં ગાળો આપવામાં આવે છે, પથ્થર અને દંડા વરસાવવામાં આવે છે. લડવાની એક શેલી એવી છે કે જેનો પ્રયોગ સમરાંગણમાં થાય છે, યુદ્ધના મેદાનમાં થાય છે. આજકાલ ચૂંટણી-દંગલોમાં વાક્યુદ્ધ ચાલે છે. એ પણ લડવાની એક શૈલી છે. લડાઈની એક શૈલી મહાવીરની ભાષામાં પ્રાપ્ત થાય છે. લડવાની તે સૌથી શક્તિશાળી રીતે છે. તેની સામે કોઈ રીત ટકી શકતી નથી. એ રીતે છે જીવનની પ્રણાલીને બદલવાની. ઉત્તેજના અને શૈલીની ભાષા
મહાવીરે કહ્યું કે તમારી સાથે કોઈ લડવા આવે તો તમે કાયોત્સર્ગની . મુદ્રામાં ઊભા રહી જાવ. તમારી અંદર એટલું બધુ પરાક્રમ આવશે કે લડવા આવેલી વ્યક્તિ તમારી સામે ટકી જ નહિ શકે. આજે જે જીવનશેલી ચાલી રહી છે, એમાં મહત્ત્વપૂર્ણ તત્ત્વ ઉત્તેજનાનું છે. કોઈપણ
~ અસ્તિત્વ અને અહિંસા ૪ ૧૯૪ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org