SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ આવો, લડીએ ‘આવો, લડીએ' આ નિમંત્રણની ભાષા છે. ન કશું લાવવાનું છે અને ન કોઈ વાત કરવાની છે, માત્ર લડાઈનું આહ્વાન. નિમંત્રણ આપવું જોઈએ – આવો ! શાંતિ કરીએ, સમાધાન કરીએ. પરંતુ નિમંત્રણ આપવામાં આવ્યું કે – આવો, લડીએ ! આવું નિમંત્રણ કેમ આપવામાં આવ્યું. આ પ્રશ્ન સ્વાભાવિક રીતે પેદા થાય છે. કહેવાય છે કે જે આદત પડી જાય છે તે છૂટતી નથી. આ વાત સંપૂર્ણ અશક્ય નથી. ભગવાન મહાવીર ક્ષત્રિય હતા, યોદ્ધા હતા. તેઓ મુનિ બની ગયા છતાં તેમની લડવાની આદત છૂટી નહિ. મહાવીરે મહત્ત્વપૂર્ણ સૂત્ર આપ્યું કે જીવનમાં ક્યારેક ક્યારેક ભાગ્ય સાથે યુદ્ધ કરવું પડે છે. પ્રશ્ન છે કે લડવું કોની સાથે ? જે શત્રુ આપણી અંદર બેઠેલા છે, તેમની સાથે લડીએ. આળસ શરીરમાં બેઠેલો મહાશત્રુ છે. મહાવીરે જોયું કે મારી આસપાસ શત્રુઓ ઘેરાયેલા છે. તો પછી હું શાંતિથી શી રીતે જીવી શકું ? મહાવીરનો નિશ્ચય હતો કે મારે શાંતિપૂર્ણ જીવન જીવવું છે. જ્યાં સુધી શત્રુ સમાપ્ત નથી થતા ત્યાં સુધી શાંતિથી જીવી શકાતું નથી. તેમણે લડાઈ કરી અને તેઓ વિજયી બની ગયા. વિકાસવાનું સૂત્ર એ સચ્ચાઈ છે કે આ જગતમાં એ જ વ્યક્તિનું અસ્તિત્વ કાયમ રહી શકે છે કે જેનામાં પરાક્રમ હોય છે, શૌર્ય હોય છે, સંઘર્ષ કરવાની શક્તિ હોય છે, જે લડવાનું જાણે છે. વિકાસવાદનું એક સૂત્ર છે ફિસ્ટ. (Fittest) એનું અસ્તિત્વ કાયમ રહે છે જે યોગ્યતમ હોય છે. યોગ્યતમ બનવા માટે નિરંતર સંઘર્ષ ચાલતો રહે છે. જીવન માટે સંઘર્ષને ક્યારેય સમાપ્ત કરી શકાતો નથી. કાયર વ્યક્તિ પોતાના અસ્તિત્વને બચાવી નથી શકતી. એ જાતિઓ પણ સમાપ્ત થઈ ગઈ કે જે કાયર હતી. માત્ર એ જ બચી શક્યા કે જેઓ શક્તિશાળી હતા. ભગવાન મહાવીર પરાક્રમના ઉગાતા હતા. તેમણે પરાક્રમનું —— — અસ્તિત્વ અને અહિંસા ન ૧૯૩ - ૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy