________________
હું પોતાનું સમજી રહ્યો હતો તે મારું નથી. જે દેખાય છે તે હું નથી. હું એ છું કે જે દેખાતો નથી. અસ્તિત્વની અનુભૂતિ થઈ જાય છે. સમ્યગદર્શન એટલે પોતાની જાતને જાણી લેવી. ઊઠો, જાગો
પ્રકાશ આગળ વધે છે, વ્યક્તિનું ચિંતન સ્પષ્ટ થતું જાય છે. તે એમ વિચારે છે કે હું શરીર નથી, પરંતુ શરીરમાં લિસ છું. આશ્રવનો સ્ત્રોત વહી રહ્યો છે, શું તેને રોકી શકાશે ? વ્યક્તિને એવી અનુભૂતિ થાય છે કે હું આત્મા છું, આશ્રવ નથી. એવો તફાવત સ્પષ્ટ થઈ જાય છે કે હું નૌકા છું, છિદ્ર નથી. જે છિદ્રો બનેલાં છે તેમને રોકી શકાય છે. જે પાણી આવી રહ્યું છે તેને અટકાવી શકાય છે. પ્રકાશનું કિરણ ફૂટી ગયું એટલે માણસ ઊઠી ગયો. આપણે આ રીતે પણ વિચારી શકીએ કે જ્યારે માણસ નિગોદમાં હતો, અવ્યવહાર રાશિમાં હતો ત્યારે તે સૂતેલો હતો. જ્યારે તે તેમાંથી બહાર નીકળ્યો, માણસ બન્યો ત્યારે તે બેસી ગયો. જ્યારે તે સમ્યગદૃષ્ટિવાળો બન્યો, વતી બન્યો ત્યારે તે ઊભો થઈ ગયો. એવી વ્યક્તિને લક્ષ્યમાં રાખીને મહાવીરે કહ્યું કે તમે કેટકેટલી યાત્રાઓ કરી છે, મોટી-મોટી મુશ્કેલીઓમાંથી આ સ્થિતિમાં આવ્યા છો ! તેથી હવે પ્રમાદ ન કરો. ઉપનિષનું પ્રસિદ્ધ વાક્ય છે – ‘ઉત્તિષ્ઠિત ! જાગ્રત !' ઊઠો ! જાગો ! ભૂલકણો છે માનવી
અજ્ઞાન નિગોદથી આપણી સાથે ચાલી રહ્યું છે. આપણે જ્યારે પણ સઘન મિથ્યાત્વ અને સઘન અંધકારમાં હતા ત્યારથી જ અજ્ઞાન અને પ્રમાદ આપણી સાથે સાથે ચાલી રહ્યાં છે. આપણે વિસ્કૃતિ અને અજ્ઞાનથી મુક્ત થઈ શકયા નથી. આપણે અનંતકાળ સુધી નિગોદસૂક્ષ્મ વનસ્પતિકાયમાં રહ્યા, ત્યારબાદ ઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જગતમાં લાંબા સમય સુધી રહ્યા, હવે માનવજીવનમાં આવ્યા, સમ્યગદૃષ્ટિ બન્યા, વ્રતી અને મહાવ્રતી બન્યા. મહાવીરે આવી વ્યક્તિ માટે ઉપદેશ આપ્યો કે તમે ઊઠી ગયા છે, હવે પ્રમાદ ન કરો. જે સૂએ છે તેનું ભાગ્ય પણ સૂઈ જાય છે, જે બેઠેલો છે તેનું ભાગ્ય પણ બેસી જાય છે, જે ઊભેલો છે તેનું ભાગ્ય પણ ઊભું થઈ જાય છે. કોઈપણ મુનિ ક્યારેય બેસતા નથી. તે ઊભા જ રહે છે. મહાવીરે મુનિ બન્યા
– અસ્તિત્વ અને અહિંસા , ૧૮૮
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org