________________
અગાસીની પાળી ઉપર પડેલું ક્રિાણ
આપણું જીવ-જગત ખૂબ વિરાટ છે. વર્તમાનમાં આ જગતમાં લગભગ પાંચ અરબ લોકો છે. આ એટલી નાનકડી સંખ્યા છે કે સમુદ્રનું એક બુંદ પણ બનતું નથી. આપણે સમગ્ર પ્રાણીજગતને જોઈએ, વનસ્પતિના જગતને જોઈએ. સૌથી વિશાળ પ્રાણીજગત છે. વિરાટ અને અસીમ એ જગતમાં આજે પણ એવા જીવો છે કે જેમણે પ્રકાશનું કિરણ જોયું જ નથી ! સૂરજ શી ચીજ છે એની એને ખબર જ નથી ! તેઓ સઘન અંધકારમાં પડેલા છે. તેઓ અવ્યવહાર રાશિના જગતથી વ્યવહાર રાશિના જગતમાં આવ્યા જ નથી. તેમણે પ્રકાશમાં આવવા માટે ક્યારેય ઉત્ક્રમણ જ નથી કર્યું. સૂરજને જોવાની તક જ તેમને મળી નથી. તેમને માટે પ્રકાશનું દર્શન હજારો કોસ દૂર છે. સમ્યગદર્શનનો અર્થ
કેટલાક જીવો અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળ્યા છે, વ્યવહાર રાશિમાં પ્રવેશ્યા છે. તેમને આભાસ થાય છે કે પ્રકાશ નામનું કોઈ તત્ત્વ છે. તેઓ એકેન્દ્રિયમાંથી બે ઇન્દ્રિયવાળા જીવ બને છે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયવાળા જીવ બને છે. જ્યારે તે પછી જીવ સમનસ્ક બને છે
ત્યારે તે વિચારે છે કે આ જગત છે. પાંચ ઇન્દ્રિયોવાળા જીવો સુધી વિચારવાની જરૂર જ નથી. જ્યારે મનનો યોગ મળે છે, વ્યક્તિ વિચારવાનું શરૂ કરે છે, એકબીજાને જોવાનું શરૂ કરે છે, ત્યારે એક ઝળહળતી રોશનીનો આભાસ શરૂ થાય છે. મન દીર્ઘકાલિક સંજ્ઞા છે. મન પછી એક બીજી સંજ્ઞા જાગે છે - સમ્યગ્દષ્ટિસંજ્ઞા. જ્યારે આ સંજ્ઞા જાગે છે ત્યારે પ્રકાશનું પ્રથમ કિરણ ફૂટે છે. પ્રથમ કિરણ ફૂટતાં જ દુનિયાનો આખો નકશો બદલાઈ જાય છે, દૃષ્ટિકોણ અને ખ્યાલો બદલાઈ જાય છે. “શરીર હું છું” – એવો ખ્યાલ બદલાઈ જાય છે. તે એમ વિચારે છે કે “આ શરીર હું નથી, હું કંઈક બીજું જ છું.” નવો પ્રકાશ, નવી જયોતિ મળી, સચ્ચાઈ ઉપલબ્ધ થઈ ગઈ કે જે શરીરને
– અસ્તિત્વ અને અહિંસા: ૧૮૭ --
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org