________________
કરશો. આહાર પાણી નહિ મળે, રહેવાની જગા નહિ મળે. આચાર્ય ભિક્ષુએ પોતાનો નિશ્ચય ન બદલ્યો. તેઓ પોતાના આગ્રહને વળગી રહ્યા. જેનામાં સંયમનો, આત્મનિયંત્રણનો આગ્રહ નથી હોતો તે માણસ કોઈ મોટું કામ નથી કરી શકતો. જેને શરીર પ્રત્યે મોહ નથી હોતો, ઇન્દ્રિય પ્રત્યે મોહ નથી હોતો, જે દુઃખથી ડરતો નથી તે માણસ સત્ય અને સંયમનો આગ્રહ રાખી શકે છે. જેનામાં સંયમનો આગ્રહ હોય છે એ જ માણસ સારાં અને નવાં કામ કરી શકે છે. સંયમ એટલે કષ્ટ સહન કરવાનો આગ્રહ. જેનામાં આવી તિતિક્ષા હોય, દંઢોને સહન કરવાની ક્ષમતા હોય તે બાળભાવથી મુક્ત થઈ શકે છે. ચિત્તશુદ્ધિ : બંધ
બીજી વાત છે ચિત્તશુદ્ધિની. આપણે ચિત્તને પવિત્ર બનાવવું જોઈએ. કોઈપણ સારું કાર્ય ચિત્તશુદ્ધિ વગર શક્ય નથી. જે વ્યક્તિનું ચિત્ત કલુષિત રહે છે, મલિન રહે છે, તે મોટું કામ કરી શકતી નથી.
ત્રીજી વાત છે બંધ. જે માણસ એમ જાણે છે કે હું બંધાઈ રહ્યો છું, મને બેડીઓ પહેરાવાઈ રહી છે તે બાળભાવથી બચી જાય છે. મોહ-માયાની બેડીઓ દરરોજ આપણા હાથમાં પહેરાવાઈ રહી છે. આ બંધન પ્રત્યે આપણે જાગરૂક બનીએ તો મૂર્ખામીની દિશામાં આપણા પગ ક્યારેય વળશે નહિ.
ચોથી વાત છે કર્મરસ. બંધનના વિપાક પ્રત્યે જાગરૂક બનવું જોઈએ. દુઃખ આવે, કષ્ટ આવે તો એવું ચિંતન કરવું જોઈએ કે મેં કોઈને દુઃખ આપ્યું હશે, કોઈને સંકટમાં નાંખ્યો હશે જેને કારણે કર્મનો આ વિપાક ભોગવવાનો આવ્યો છે. બંધનને યાદ કરીએ
આપણે કર્મ કરતી વખતે સિંહ જેવા હોઈએ છીએ, પરંતુ તેને ભોગવતી વખતે શિયાળ કરતાં પણ નીચી કક્ષાએ પહોંચી જઈએ છીએ. આપણે આપણાં કૃત્યો પર ધ્યાન આપવું જોઈએ. એણે આમ કરી દીધું, તેમ કરી દીધું, આવું થઈ ગયું, એવું થઈ ગયું વગેરે જેવી વાતોને આપણે યાદ કરીએ છીએ. પરંતુ તેની સાથે સાથે એ પણ યાદ કરીએ કે મેં પણ કંઈક કર્યું હશે. મેં પણ કોઈને પજવ્યું હશે, કોઈનું ધન ચોર્યું હશે, કોઈકને પુત્રનો વિયોગ કરાવ્યો હશે. મહાવીરે કેવું સુંદર દર્શન આપ્યું
– અસ્તિત્વ અને અહિંસા - ૧૮૪ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org