________________
સ્મૃતિમાંથી ઊતરી જાય એનું નામ છે પ્રમાદ. પોતાને એક ક્ષણ માટે પણ ન ભૂલો એ છે અપ્રમાદ. જે વાત નિરંતર યાદ રાખીશું તે આત્મસાત્ થઈ જશે.
વ્યક્તિની મનોવૃત્તિ
માણસ ભૂલ કરવાથી ક્યારેય બચી શકે ખરો ? મહાવીરે કહ્યું કે વ્યક્તિથી ભૂલ થઈ જાય છે. વ્યક્તિ એક વખત ભૂલ કરે તો એ મૂર્ખામી છે. પરંતુ તે તેને છુપાવવા માટે બીજી વખત ભૂલ કરે તો તે બમણી મૂર્ખામી છે. કહેવામાં આવ્યું કે અનાચારનું સેવન ન કરો. વ્યક્તિ અનાચારનું સેવન કરી બેસે છે એ એની પહેલી મૂર્ખામી છે અને એ કોઈ એ વિશે પૂછે છે ત્યારે પોતાની ભૂલનો તે અસ્વીકાર કરે છે એ તેની બીજી મૂર્ખામી છે. આચાર્ય ભિક્ષુએ નવવાડમાં વ્યક્તિની આ મનોવૃત્તિનું સુંદર વર્ણન કર્યું છે કોઈ વ્યક્તિના પેટમાં પીડા થઈ. તેણે વૈદને બોલાવ્યા. વૈદ્યે પૂછ્યું કે શું વધારે પડતું ભોજન કર્યું હતું અથવા તો ભારે ખોરાક વધારે પ્રમાણમાં ખાધો હતો ? એણે કહ્યું - ના, ના ! એવી કોઈ વાત નથી. પેટનું દર્દ વધુ ખાવાને કારણે થયું છે એ સચ્ચાઈનો પેલી વ્યક્તિ સ્વીકાર કરતી નથી. તે પચાસ વિકલ્પો વ્યક્ત કરે છે પરંતુ એટલું નથી સ્વીકારતી કે મેં વધારે પ્રમાણમાં ખાધું છે. આ બમણી મૂર્ખામી છે વધારે ખાવું અને તેનો સ્વીકાર ન કરવો. ખતરનાક છે મૂર્છા
વ્યક્તિ પોતાના બાળપણને કારણે બમણી મૂર્ખામી આચરતી રહે છે. જ્યાં સુધી જીવનમાં અસંયમ હશે, ચિત્તશુદ્ધિ પ્રત્યે અજાગરૂકતા હશે ત્યાં સુધી બમણી મૂર્ખામીને ટાળી નહિ શકાય. જે બાળક હોય છે, તેનામાં સમજદારી નથી હોતી. એક બાળપણ હોય છે સમજદારીના અભાવનું અને બીજું બાળપણ હોય છે મૂર્છાનું. બાળક જે નાદાની કરે છે એ જ નાદાની કોઈ માણસ અણસમજ કે મૂર્ખામીને કારણે કરે છે. એક બાળક નાદાની કરે છે તે સમજણની અપરિપક્વતાને કારણે કરે છે. એક મૂર્ખ માણસ નાદાની કરે છે તો તે મૂર્ખામીને કારણે કરે છે. જેનામાં જ્ઞાન નથી હોતું, સમજણ નથી હોતી તે મૂર્ખ છે. કોઈ સમજદાર માણસ નાદાની કરે છે તો તે મૂર્છાને કારણે કરે છે. એક વ્યક્તિમાં સમજણની પરિપક્વતા છે, જ્ઞાન પણ છે છતાં મૂર્છાને કારણે એવું આવરણ આવી જાય છે કે તે બાળક જેવી બની જાય છે, અજ્ઞાની બની
અસ્તિત્વ અને અહિંસા ૧૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org