________________
ભાડૂઆતો છે કે જે જબરદસ્તીપૂર્વક પોતાનો અડ્ડો જમાવીને બેસી ગયા છે. રાગ અને દ્વેષનું રહેવું અધર્મ અને એમનાથી પોતાની જાતને મુક્ત કરવી એ ધર્મ છે. શુદ્ધ અસ્તિત્વનો પ્રશ્ન
યોગના આચાર્યોએ વારંવાર એ વાતને મહત્ત્વ આપ્યું કે ઉપાદેય કશું જ નથી, લેવાનું કશું જ નથી, સઘળું છોડવાનું જ છોડવાનું છે. જે વિજાતીય તત્ત્વો ભીતરમાં ભરેલાં પડ્યાં છે તેમને બહાર કાઢો, બહાર કાઢતા જ રહો. બાકી રહેશે માત્ર શુદ્ધ અસ્તિત્વ. આચાર્ય ભિક્ષુએ કહ્યું કે ત્યાગ ધર્મ છે. જેન આચાર્યોએ લેવાની વાતને ધર્મ નથી કહ્યો. એનો અર્થ એ છે કે શાશ્વત આપણી અંદર જ બેઠેલો છે, જીવનો પારિણામિક ભાવ આપણી અંદર જ છે. કર્મ ક્યારેય તેને પ્રભાવિત કરી શકતું નથી. પરિણામિક ભાવ કર્મને આધીન નથી, તે સ્વતંત્ર છે. જો પારિણામિક ભાવ ન હોત તો કર્મના પુદગલો જીવને અજીવ બનાવી મૂકત. આત્મા આત્મા ન રહેત, જીવ જીવ ન રહેત. એ પુદ્ગલોએ આત્મા ઉપર ગમે તેટલું આક્રમણ કર્યું હશે છતાં તેઓ આત્માને ક્યારેય અનાત્મ બનાવી શક્યા નથી. શક્તિશાળી તત્ત્વ
એમ કહેવાય છે કે હિન્દુસ્તાન ઉપર આટલાં બધાં આક્રમણો થયાં છતાં હિન્દુ જાતિએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. ઘણા લોકો વિસ્મય વ્યક્ત કરે છે કે આપણી ઉપર અનેક આક્રમણો કરવામાં આવ્યાં પરંતુ આપણા અસ્તિત્વને કોઈ મિટાવી ન શક્યું. એનું કારણ શું ? હિન્દુજાતિનું અસ્તિત્વ સનાતન છે કે નહિ એવો પ્રશ્ન થઈ શકે પરંતુ આત્માનું અસ્તિત્વ શાશ્વત છે એમાં કોઈ શંકા નથી. તેના ઉપર ક્યારથી આક્રમણ ચાલી રહ્યું છે એની કાંઈ જ ખબર પડતી નથી. અનાદિકાળથી આત્મા ઉપર પુલોનાં આક્રમણો ચાલી રહ્યાં છે, પરંતુ તેના અસ્તિત્વને કોઈ આંચ આવી નથી. આત્મા અને પુગલ બન્નેના સંગ્રામમાં અસ્તિત્વનો દીપ હંમેશાં નિષ્પકંપ રહ્યો છે. પારિણામિક ભાવ એવું શક્તિશાળી તત્ત્વ છે કે જે અસ્તિત્વને અકબંધ રાખે છે. ધર્મ છે અસ્તિત્વની અનુભૂતિ અસ્તિત્વ શાશ્વત છે. તેની અનુભૂતિનું નામ ધર્મ છે. ધર્મ પણ
-- અસ્તિત્વ અને અહિંસા ૧૫૪ --
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org