________________
શાશ્વત છે. અસ્તિત્વની અનુભૂતિમાંથી એક વ્યાવહારિક વાત મળી જો તમારું અસ્તિત્વ તમને પ્રિય હોય, તમે તમારા અસ્તિત્વને ટકાવી રાખવા ઇચ્છતા હો તો બીજાઓના અસ્તિત્વમાં ક્યારેય ખલેલ ન કરો. આ મહાન ભાવનાને ગૂંથી લઈને એક સ્વર પ્રસ્ફુટિત થયો સત્ત્વે પાણા ણ ખંતવ્યા. આ સ્વરની પાછળ સનાતન અસ્તિત્વની ભાવના છે. એમાં કોઈ સાંપ્રદાયિક સંકીર્ણતા નથી. મહાવીરે કહ્યું કે સંપ્રદાયવાદ સારો નથી, સાંપ્રદાયિક કટ્ટરતા સારી નથી. સંપ્રદાય ખરાબ નથી, ખરાબ છે સાંપ્રદાયિક કટ્ટરતા. મહાવીરે જે ધર્મનું પ્રતિપાદન કર્યું, તેમાં સાંપ્રદાયિક કટ્ટરતાને કોઈ સ્થાન નથી. સાંપ્રદાયિક કટ્ટરતા ન હોવી જોઈએ, એનો આદ્યસ્વર મહાવીર વાણીમાં જોઈ શકાય છે. તેમણે જે શાશ્વત સત્યોનું પ્રતિપાદન કર્યું તે આજે પણ આપણા સૌ માટે અનુકરણીય છે.
Jain Education International
અસ્તિત્વ અને અહિંસા ૢ ૧૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org