________________
જાણ્યું, જીવ અને અજીવને જાણ્યા, સૂક્ષ્મ અને સ્થૂળ તમામ પદાર્થોને જાણ્યા. સૌના સ્વભાવનો અનુભવ કર્યો. પોતાના આત્માને જાણ્યો અને આત્મતુલા દ્વારા તમામ પ્રાણીઓને તોલ્યાં. પોતાના અનુભવને અભિવ્યક્ત કરતાં તેમણે કહ્યું – ‘સવ્વે પાણા ણ અંતવ્યા’. આ બુદ્ધિનો સ્વર નથી, આત્મસાક્ષાત્કારમાંથી પ્રગટેલો સ્વર છે કોઈ પ્રાણીને મારશો નહિ. આ શાશ્વત ધર્મ છે, દેશ અને કાળથી પ્રતિબદ્ધ ધર્મ નથી. આત્મા અને ધર્મ
સંપ્રદાય દેશ અને કાળથી પ્રતિબદ્ધ હોય છે. પ્રાચીનતા અને નવીનતાનો જે પ્રશ્ન આજે પ્રસ્તુત છે, તે ધર્મની સાથે નહિ પરંતુ સંપ્રદાયની સાથે જોડાયેલો છે. કયો સંપ્રદાય પ્રાચીન છે અને કયો સંપ્રદાય નવો છે ? પ્રશ્ન એ પણ છે કે નવા અને પ્રાચીનનું મહત્ત્વ શું છે ? જે આ શાશ્વત સ્વરનું ઉચ્ચારણ કરે છે તે નવો હોય તો પણ સારો છે અને પ્રાચીન હોય તો પણ સારો છે. આપણે ધર્મ અને સંપ્રદાયની બાબતમાં નવા-પ્રાચીનની ચર્ચા કરીએ છીએ, તે આપણી બહુ મોટી ભૂલ છે.
શાશ્વત ધર્મ છે આત્મસાક્ષાત્કાર. આત્મા વગર (સિવાય) ધર્મની વાત થઈ જ ન શકે. આત્મા છે તો ધર્મ છે. આત્મા નથી તો ધર્મ નથી. આત્મા અને ધર્મમાં શાશ્વતવાદિતા છે.ધર્મ છે આત્માનો અનુભવ, શુદ્ધ ચેતનાનો અનુભવ. ધર્મનો અર્થ એટલો જ છે, તે જટિલ નથી પરંતુ સંપ્રદાયોએ તેને જટિલ બનાવી દીધો છે.
શાશ્વત છે પારિણામિક ભાવ
-
એક વિદેશી ભાઈએ પ્રશ્ન કર્યો કે ધર્મ શું છે ? તેની સરળ વ્યાખ્યા શી છે ? મહાવીર વાણીના આધારે આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે હોઈ શકે – ધર્મ એટલે પોતાના સ્વભાવમાં રહેવું. આત્માનો જે સ્વભાવ છે, તે પોતાના એ સ્વભાવમાં રહેવા ઇચ્છે છે. એમાં અવિરત એક આંદોલન ચાલી રહ્યું છે, જેનું નામ છે પારિણામિક ભાવ મારા અસ્તિત્વમાં રહેવું છે, મારે પોતાના ઘરમાં રહેવું છે. આ જ આંદોલનનું નામ છે ધર્મ. તે પોતાના ઘરને ભાડૂઆતો પાસેથી ખાલી કરાવવા માટે સતત સંઘર્ષ કરતો રહે છે. રાગ અને દ્વેષ એ બે એવા
મારે
અસ્તિત્વ અને અહિંસા ૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
–
www.jainelibrary.org