SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તમામ જીવોના ખેદને જાણીને આ ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જેઓ આત્મજ્ઞ હતા, આત્મતુલાને જાણનારા હતા તેમણે આત્માનો સાક્ષાત્કાર કરીને આ સચ્ચાઈને અભિવ્યક્ત કરી છે. સમાન હોય છે અનુભવ આપણી પાસે જાણવા માટેનાં બે સાધનો છેઃ બુદ્ધિ અને અનુભવ. બુદ્ધિ દ્વારા આપણે ઘણી બધી વાતો જાણતા હોઈએ છીએ, એ વાતોને મહત્ત્વ પણ આપીએ છીએ, પરંતુ જ્યાં બુદ્ધિનો પ્રશ્ન હશે ત્યાં ભેદનું હોવું પણ અનિવાર્ય બની જશે. દસ બુદ્ધિશાળી માણસોને એક જગાએ બેસાડવામાં આવે અને એક જ વિષય ઉપર તેમના વિચારો જાણવામાં આવે તો દસ પ્રકારના વિચારો રજૂ થશે. ભેદ હોવો – તફાવત હોવો એ બુદ્ધિનો ધર્મ છે, બુદ્ધિની પ્રકૃતિ છે. જ્યાં બૌદ્ધિકતા હશે ત્યાં ભેદ થયા વગર નહિ રહે. અનુભવમાં કોઈ તફાવત નથી હોતો. જો હજાર વ્યક્તિઓને અલગ અલગ જગાએ બેસાડવામાં આવે તો પણ અનુભવના ક્ષેત્રમાં તે સૌ સમાન જ રહેશે. એક વ્યક્તિ લાડનૂમાં હોય, એક વ્યક્તિ લંડનમાં હોય, એક મોસ્કોમાં અને એક વોશિંગટનમાં હોય, એક મેરુ પર્વત ઉપર અને એક દેવલોકમાં હોય - સ્થાનભેદ હોવા છતાં તેમના અનુભવમાં કોઈ ભેદ નહિ હોય. અનુભવનું જ્ઞાન સૌનું એકસમાન, એકસરખું હશે. આત્મસાક્ષાત્કારનો સ્વર આપણે બીજો સંદર્ભ લઈએ. જ્ઞાનના બે પ્રકાર હોય છે – પ્રત્યક્ષ અને પરોક્ષ. પરોક્ષ જ્ઞાન અલગ અલગ હોય છે, પરંતુ પ્રત્યક્ષ જ્ઞાન દરેક વ્યક્તિનું એકસમાન હોય છે. જૈન આચાર્યોએ ઇન્દ્રિયોને ઝાઝું મહત્ત્વ ન આપ્યું કારણ કે તે પરોક્ષ છે. આપણે ઇન્દ્રિયો ઉપર વિશેષ ભરોસો કરીએ છીએ. આંખોનો ખૂબ ભરોસો કરીએ છીએ. પરંતુ તે પ્રત્યક્ષ નથી, પરોક્ષ છે. તેથી ઘણી વખત છેતરાઈ જવાય છે. પરોક્ષ આખરે પરોક્ષ જ છે. તેનો ઝાઝો ભરોસો ન કરી શકાય. પ્રત્યક્ષ છે આત્મજ્ઞાન - અતીન્દ્રિય જ્ઞાન. આ સાર્વભૌમ ધર્મનું પ્રતિપાદન એવી વ્યક્તિઓએ કર્યું છે કે જેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું, જેમની અતીન્દ્રિય ચેતના જાગૃત હતી. તેમણે પોતાના સાક્ષાત્ જ્ઞાન દ્વારા સમગ્ર જગતને – અસ્તિત્વ અને અહિંસા કે ૧૫૨ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy