________________ શાશ્વત ધર્મ શાશ્વત અને અશાશ્વતનો પ્રશ્ન અત્યંત ચર્ચાસ્પદ રહ્યો છે. ધર્મનું અસ્તિત્વ ક્યારથી છે તે એક પ્રશ્ન છે. કેટલાક લોકો એમ કહે છે કે વૈદિક ધર્મ સૌથી પ્રાચીન છે. કેટલાક લોકો એમ કહે છે કે જૈન ધર્મ ખૂબ પ્રાચીન છે. પ્રત્યેક ધર્મના અનુયાયી પોતાના ધર્મની પ્રાચીનતા પુરવાર કરવાનો પ્રયત્ન કરે છે. ઇતિહાસનો એક વિષય બની ગયો કે કયો ધર્મ પ્રાચીન છે. જયાં ઇતિહાસની વાત સમાપ્ત થાય છે ત્યાં પ્રાગૈતિહાસિક કાળની વાત પ્રસ્તુત બની જાય છે. તે અનંત કાળ પાછળ પહોંચી જાય છે. એનો અર્થ એ છે કે ધર્મ અનાદિ છે. પ્રશ્ન એ જ આવે છે કે કયો ધર્મ અનાદિ છે. જો આપણે કોઈ ધર્મને લાખ કે કરોડ વર્ષ પ્રાચીન માનીએ તો પણ કાળનું આદિબિંદુ પકડાતું નથી. જ્યારથી કાળચક્ર ચાલી રહ્યું છે ત્યારથી ધર્મ ચાલી રહ્યો છે. તેથી કયો ધર્મ પ્રાચીન છે એ પ્રશ્નનો ઉત્તર આપી શકાતો નથી. આપણે જે ધર્મને અધિક પ્રાચીન માનીશું તેની એક સીમા અવશ્ય આવશે. શાશ્વત છે અહિંસા ધર્મ ભગવાન મહાવીરે આ પ્રશ્નનો અત્યંત તર્કસંગત ઉત્તર આપ્યો. તેમણે એમ નથી કહ્યું કે શ્રમણ ધર્મ, અર્થ અને નિગ્રંથ ધર્મ પ્રાચીન છે અથવા વૈદિક ધર્મ પ્રાચીન છે. તેમણે વિલક્ષણ ઉત્તર આપ્યો કે જે ધર્મ તમામ સંપ્રદાયોથી ઉપર હોય, દેશાતીત અને કાલાતીત હોય, જે સાર્વભૌમ હોય, સૌ કોઈને સ્વીકાર્ય હોય એ ધર્મ શાશ્વેત છે. મહાવીરે કહ્યું કે ભૂતકાળમાં જેટલા અત્ થઈ ગયા, જેટલા વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ જે થશે, એ તમામ અહંતોએ એ શાશ્વત ધર્મનું નિરૂપણ કર્યું છે કે કોઈપણ પ્રાણીને મારશો નહિ. આ અહિંસા ધર્મ શુદ્ધ ધર્મ છે, શાશ્વત ધર્મ છે. એમાં કોઈને કશો દોષ જડતો નથી, એમાં કોઈને કોઈ મતભેદ પણ નથી. સમગ્ર જગતને જોયા અને ઓળખ્યા પછી આ ધર્મનું -~-~- અસ્તિત્વ અને અહિંસા , 151 -- -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org