________________
ત્રીજો સ્ત્રોત
શક્તિનો ત્રીજો સ્ત્રોત છે – સ્વયંનો નિગ્રહ કરવો. જે માણસ પોતાની ઇન્દ્રિયોનો, આવેશોનો, મનની ચંચળતાનો નિગ્રહ કરવાનું જાણે છે તેનામાં આપોઆપ શક્તિનો સ્ત્રોત પ્રગટી રહે છે. બીજાઓને આદેશ આપવો, બીજાઓને સંકટમાં મૂકવા, બીજાઓને ઠપકો આપવો – આવાં કામ તો કોઈપણ વ્યક્તિ કરી શકે છે. એમાં કોઈ મોટી વાત નથી. મોટું કાર્ય એ કરે છે કે જે પોતાનો વધુમાં વધુ નિગ્રહ કરે છે અને તેના દ્વારા જ બીજાઓનો અનુગ્રહ તથા નિગ્રહ કરે છે. આ મોટી વાત છે. મહત્ત્વપૂર્ણ સૂત્ર આપવામાં આવ્યું કે પ્રથમ પોતાનો નિગ્રહ કરો. એમ કરવાથી એક મોટી તાકાત પેદા થશે, સમસ્યાઓનું સમાધાન થશે. ચોથો સ્ત્રોત
શક્તિનો ચોથો સ્ત્રોત છે – આદાનનો નિષેધ. મહત્ત્વપૂર્ણ સૂત્ર છે – પ્રત્યેક વાત એકાએક ન સ્વીકારો. પ્રથમ વિચારો કે આ શું છે ? શું મારે તેનો સ્વીકાર કરવો જોઈએ? શું એનો સ્વીકાર કરવો ઉચિત છે ? હિતકર છે? આ બધું વિચારીને જે અયોગ્ય લાગે તેનો અસ્વીકાર કરી દો.
સમ્રાટ વિક્રમાદિત્ય એક વખત અત્યંત દરિદ્ર અવસ્થામાં જીવન જીવી રહ્યા હતા. તેઓ સમસ્યાઓથી ઘેરાયેલા હતા. વિક્રમાદિત્યનો એક મિત્ર હતો ભટ્ટમાત્ર. બન્નેએ નિર્ણય કર્યો કે આપણે દેશાટન કરીએ. ક્યાંકથી શક્તિનો એવો સ્રોત શોધી કાઢીએ કે જેથી નિર્ધનતા દૂર થઈ જાય. તેઓ એક ગામમાં જઈ કુંભારના ઘેર રહ્યા. કુંભારને તેમની ગરીબી ઉપર દયા આવી ગઈ. કુંભારે કહ્યું કે અમારે ત્યાં રોહણાચલ નામનો એક પર્વત છે. ત્યાં જઈને કોઈ વ્યક્તિ માથા ઉપર હાથ મૂકીને, દીન સ્વરમાં એમ કહે કે – “હા દેવ ! હા દેવ !' આમ કહીને એ પર્વત ઉપર કોદાળી વડે પ્રહાર કરે છે તો માલામાલ થઈ જાય છે.' મિત્ર ભટ્ટમાત્ર વિચારમાં પડ્યો કે વિક્રમાદિત્ય આવું કરવા તૈયાર નહિ થાય. તેણે એક યુક્તિ બનાવી. તે વિક્રમાદિત્યથી થોડોક પાછળ રહી ચાલવા લાગ્યો. વિક્રમાદિત્ય જેવો પર્વત પાસે પહોંચ્યો કે તરત જ મિત્ર બોલ્યો, વિક્રમ ! તારી માતાનું અવસાન થયું છે.” શોકગ્રસ્ત વિક્રમાદિત્યે માથા ઉપર હાથ મૂકીને કહ્યું – “હા દેવ ! હા દેવ !' આમ કહીને એમણે
– અસ્તિત્વ અને અહિંસા કે ૧૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org