________________
એ છે કે જે પ્રતિકૂળ અને અનુકૂળ પરિસ્થિતિઓને સહન કરે છે. સહન કરવા માટે પણ શક્તિ હોવી જોઈએ. પ્રથમ સ્ત્રોત
શક્તિશાળી હોય એ જ સહિષ્ણુ બની શકે છે. જે સહિષ્ણુ હોય છે, સહન કરવાનું જાણે છે એ જ પોતાના અસ્તિત્વને ટકાવી રાખી શકે છે. અસ્તિત્વને ટકાવી રાખવા માટે સહન કરવાનું જરૂરી છે અને સહન કરવા માટે શક્તિશાળી હોવું જરૂરી છે. શક્તિશાળી બનવા માટે શક્તિસ્ત્રોત જાણવા અને તેમનો ઉપયોગ કરવો આવશ્યક છે. શક્તિસ્ત્રોતનું રહસ્ય આ સૂત્રોમાં આપણને સહજ રીતે ઉપલબ્ધ થાય છે.
સત્યે યસ્ય ધૃતિઃ સિદ્ધા, મિત્રમાત્મા નિજો ધ્રુવમ્ | નિગ્રહઃ સ્વાત્મના સ્વસ્થ, તસ્યાસ્તિત્વ સનાતનમ્ |
જેને સત્યમાં ધીરજ સિદ્ધ થઈ ગઈ, જેનો આત્મા જ પોતાનો મિત્ર છે, જે પોતાના દ્વારા પોતાનો નિગ્રહ કરવાનું જાણે છે એનું અસ્તિત્વ શાશ્વત છે.
મહાવીરે કહ્યું કે શક્તિનો એક સ્ત્રોત છે – સત્યમાં ધીરજ ધરવી. શક્તિનો સૌથી મોટો સ્ત્રોત સત્યમાં ધીરજ ધરવી એ છે. આપણે નિયમને નથી જાણતા તેથી સત્યમાં વિશ્વાસ નથી બેસતો. સત્ય પ્રત્યે આપણી આસ્થા જ દઢ નથી થતી. જ્યાં સત્યમાં ધીરજ નથી હોતી ત્યાં સહિષ્ણુતાની વાત જ શક્ય નથી બનતી.
ક્યારેક ક્યારેક કેટલાંક કાર્યો ભાગ્યના ભરોસે છોડવાં પડે છે. એ પણ શક્તિનો એક સ્ત્રોત છે. જે માણસ માત્ર બુદ્ધિ ઉપર જ ભરોસો કરે છે તે ખોડંગાઈ જાય છે. એક બિંદુ એવું આવે છે કે જ્યાં એમ વિચારવું પડે છે કે ચાલો, જે થવાનું હશે તે થશે. આવા ચિંતનથી
વ્યક્તિમાં તાકાત આવી જાય છે. બીજો સ્ત્રોત
શક્તિનો બીજો સ્ત્રોત છે – પોતાને પોતાનો મિત્ર માનવો. જે પોતાને પોતાનો મિત્ર નથી માનતો તે માણસ હંમેશાં કમજોર રહે છે. જે માણસ માત્ર બીજાઓને જ મિત્ર કે શત્રુ સમજે છે, તે હંમેશાં કમજોર બની રહે છે. “હું જ મારો મિત્ર છું, અને હું જ મારો શત્રુ છું,’ – આ શક્તિસ્ત્રોતના જાગરણનો સિદ્ધાંત છે.
–––– અસ્તિત્વ અને અહિંસા , ૧૪૭ – ––
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org