________________
કોદાળી પથ્થર ઉપર ફેંકી દીધી. પથ્થર તૂટી ગયો. પથ્થર તૂટતાંની સાથે જ એમાંથી એક રત્ન નીકળ્યું. વિક્રમાદિત્ય એ જોઈને સ્તબ્ધ બની ગયો. ભટ્ટમાત્ર પાસેથી રત્નપ્રાપ્તિનું રહસ્ય સાંભળીને વિક્રમાદિત્યે તરત જ તે રત્ન જંગલમાં ફેંકી દીધું. જાણે કાંઈ મળ્યું જ નહોતું ! વિક્રમાદિત્યે ભટ્ટમાત્રને કહ્યું કે - વિક્રમ ગરીબ રહી શકે છે, પરંતુ ક્યારેય દીન બની શકતો નથી.
સાર્થકતાનો અનુભવ
જે વ્યક્તિમાં એવું પરાક્રમ હોય છે તે દરેક વાતને જેમતેમ સ્વીકારી લેતી નથી. આપણે દરવાજા હંમેશાં ખુલ્લા ન રાખવા જોઈએ. સૌ કોઈને પ્રવેશ ન આપીએ તો આપોઆપ શક્તિનો સ્રોત ઉપલબ્ધ થઈ જશે. મહાવીરે માત્ર એમ જ નથી કહ્યું કે ‘નિગ્રંથ એ જ હોય છે કે જે અનુકૂળ અને પ્રતિકૂળ વાતને સહન કરે છે,' પરંતુ સહન કરવા માટે શક્તિનો જે સ્રોત જોઈએ, તેની પ્રાપ્તિનાં સૂત્રો પણ બતાવ્યાં. જ્યારે આત્માની અંદર શક્તિનો સ્રોત જાગી જાય છે, એકાગ્રતા અને સંકલ્પની શક્તિ જાગી જાય છે ત્યારે માણસ ખરેખર પોતાની અનંત શક્તિનો અનુભવ કરવા લાગે છે, તેનામાં સહન કરવાની શક્તિ પ્રસ્ફુટિત થઈ જાય છે. આના જ આધારે જે સહન કરે છે, એ જ રહે છે’ - સૂત્રની સાર્થકતાનો અનુભવ કરી શકાય છે.
Jain Education International
અસ્તિત્વ અને અહિંસા : ૧૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org