________________
ક્રિયા છે અને તેની પાછળ જે સૂત્ર છે તે છે શક્તિ. કમજોર માણસ
ક્યારેય સહન કરી શકતો નથી. શક્તિ અને સહિષ્ણુતા
શક્તિ અને સહિષ્ણુતા પરસ્પર સાથે જોડાયેલાં છે. આપણે એ શોધવું છે કે શક્તિનો સ્ત્રોત ક્યાં છે ? કેટલા છે ? “સહન કરો' – એવો ઉપદેશ ખૂબ સારો છે પરંતુ કહેવા માત્રથી સહન કરવાની શક્તિ પ્રાપ્ત થઈ જતી નથી. જ્યાં સુધી શક્તિના સ્ત્રોત ખૂલતા નથી ત્યાં સુધી સહન કરવાની વાત શક્ય બનતી નથી. આપણે શક્તિસ્ત્રોતોની શોધ કરીએ. આપણા આધ્યાત્મિક આચાર્યોએ અનેક શોધો કરી હતી. એ ચાવીઓ આજે પણ મળે તેમ છે. પરંતુ આપણે ભૂલી ગયા છીએ કે એ ચાવીઓ ક્યાં પડી છે. શક્તિનો સ્ત્રોત ક્યાં છે ?'
આજકાલ મસ્તિષ્ક વિશે અનેક સંશોધનો થઈ રહ્યાં છે. વિજ્ઞાનિકો દ્વારા મસ્તિષ્કનાં બે કેન્દ્રો શોધવામાં આવ્યાં છે. એક છે સુખનું કેન્દ્ર અને બીજું છે દુઃખ – વિષાદનું કેન્દ્ર. વાંદરાઓ ઉપર પ્રયોગ કરવામાં આવ્યો. એક વાંદરાના આનંદકેન્દ્ર ઉપર ઇલેક્ટ્રોડ લગાડી દેવામાં આવ્યો. એ વાંદરાને એટલો બધો આનંદ થયો કે તે પોતે વારંવાર આપમેળે ઇલેકટ્રોડ લગાડવા લાગ્યો. એ જ રીતે બીજા વાંદરાના દુઃખકેન્દ્ર ઉપર ઇલેકટ્રોડ લગાડવામાં આવ્યો. તે ઉદાસ અને નિરાશ રહેવા લાગ્યો. વૈજ્ઞાનિકોએ આનંદનું કેન્દ્ર પણ શોધી લીધું અને દુઃખનું કેન્દ્ર પણ શોધી લીધું. શક્તિના કેન્દ્રની શોધ હજી બાકી છે. શક્તિઃ અનેક રૂપ
આપણી અંદર શક્તિનાં અનેક કેન્દ્રો છે. કોઈક માણસ શરીરથી અત્યંત સમર્થ હોય છે અને કોઈક માણસ મનોબળથી અત્યંત સમર્થ હોય છે. ધ્યાનવિચારમાં એક સુંદર મીમાંસા કરવામાં આવી છે – ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ, સામર્થ્ય – આ તમામ શક્તિનાં જ સ્વરૂપો છે. શક્તિનાં અનેક રૂપ બને છે. આ તમામ તેના વાચક શબ્દો છે.
* ઉત્સાહ-ઊર્ધ્વલોક વસ્તુ ચિંતા આપણી એક શક્તિનું રૂપ છે ઉત્સાહ. જ્યારે ઉપરની વાતોને
—— અસ્તિત્વ અને અહિંસા ૧૪૫ –
•0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org