________________
ઉપચાર કરાવવો જોઈએ? શું આસપાસનાં સ્વજનો એવું વિચારે છે કે ખરાં કે એને ડોક્ટર પાસે લઈ જઈને એનો ક્રોધ મટાડવાનો ઉપચાર કરવો જોઈએ? શું આપણે એવું માનતા જ નથી કે ક્રોધ આવે એ કોઈ દુઃખ છે ? અહંકાર અને લોભ પેદા થવા એ દુઃખ છે ? ક્રોધ તો દેખાય છે પરંતુ અહંકાર અને લોભ છપાયેલા રહે છે. એક પુત્ર સંતોષી છે. તે એના પિતાને કહે છે કે, “પિતાજી ! હું દહેજ નહિ સ્વીકારું, ત્યારે પિતાનો ઉત્તર કંઈક આવો હશે, “જાણે છે જ શું ? ડહાપણ ન કરીશ.” પુત્ર કહેશે, “પિતાજી ! આપણે બેઈમાની નહિ કરીએ.” પિતા એને ધમકાવવા માંડશે, “તને પૈસા કમાવાનો કશો અનુભવ નથી.” શરીરકેન્દ્રિત છે દુઃખની વ્યાખ્યા આ દુઃખની વ્યાખ્યા શરીરની આસપાસ કેન્દ્રિત છે. ક્રોધ, અહંકાર અને લોભ દુઃખ નથી. એવી માન્યતાને કારણે દુઃખની વ્યાખ્યા શરીર સાથે જોડાઈ ગઈ. દુઃખચક્રનું મૂળસ્વરૂપ ઉપેક્ષિત થઈ ગયું. આજે રાજકારણ અને ચૂંટણી તંત્ર પણ શારીરિક દુઃખને પણ દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે. રાજનીતિમાં જે નવા નારા આપવામાં આવે છે, જે આશ્વાસનો આપવામાં આવે છે, તે શરીર સાથે જોડાયેલી સમસ્યાઓના સમાધાન માટે હોય છે. આપણે લૌકિક સમસ્યાઓમાં જ અટવાયેલા છીએ. આપણે એ તથ્ય વિસરી ગયા કે જ્યાં સુધી દુઃખના મૂળ કારણને દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી લૌકિક દુઃખ પણ દૂર નહિ થાય. પ્રજાની ફરિયાદ છે કે લાંચ-રૂશવત વ્યાપક બની ગઈ છે, ક્યાંય ન્યાય નથી મળતો. પ્રશ્ન એ છે કે લાંચ-રુશ્વત શા માટે ચાલી રહી છે ? શું તે રોજી-રોટી માટે ચાલી રહી છે? ના, તે રોજી-રોટી માટે નહિ પરંતુ લોભને કારણે ચાલી રહી છે. અહંકારની બીમારી હોય તો અન્યાય કેમ ન હોય ?જો રાગદ્વેષ પ્રબળ હોય પછી અપરાધ કેમ ન થાય ? સમસ્યાનું મૂળ
મહાવીરે એ વાતને વિશેષ મહત્ત્વ આપ્યું કે દુઃખના મૂળચક્રને પકડો. જો ક્રોધ, માન, માયા, લોભ વગેરેનો ઉપચાર કરવામાં આવે તો શું અન્યાય, અપરાધ, અતિક્રમણ, બળાત્કાર અને લૂંટફાટ સમાપ્ત નહિ થઈ જાય ? આ તમામની સમાપ્તિ થયા પછી પણ શું જેલો ભરેલી રહેશે ? શું બળપ્રયોગ અને પોલીસની આવશ્યકતા રહેશે ખરી ? આજે
— અસ્તિત્વ અને અહિંસક ૧૪૧
-
-
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org