________________
વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું કે કાંટા તરફ ધ્યાન ન આપો, કાંટો કેમ વાગ્યો એ બાબત તરફ ધ્યાન આપો. એલોપેથિક ઉપચાર પદ્ધતિની જેમ લક્ષણની ચિકિત્સા ના કરો, લક્ષ્યની ચિકિત્સા કરો. ઘુંટણમાં દર્દ હોય તો ઘૂંટણની ચિકિત્સા ન કરો. જે શરીરમાં એ ઘૂંટણ છે એ શરીરની ચિકિત્સા કરો. આ વાતનો મર્મ એ છે કે રોગની નહિ રોગીની ચિકિત્સા કરો. જો રોગી બરાબર હશે તો રોગ આપોઆપ બરાબર થઈ જશે. જો રોગી બરાબર નહિ હોય તો ચિકિત્સા કરવાથી ઘુંટણનું દર્દ તો સમાપ્ત થઈ શકે છે પરંતુ તેની સાથે સાથે નવું કોઈ દર્દ પણ પેદા થઈ શકે છે. તેથી એમ કહેવામાં આવ્યું કે રોગી ચિકિત્સાનું કેન્દ્રબિંદુ હોવો જોઈએ. દુઃખચક્ર : મૂળ સ્વરૂપ
ભગવાન મહાવીરે દુઃખચક્રનું મૂળ સ્વરૂપ આ પ્રમાણે રજૂ કર્યું – જે કોહદંસી સે માણદેસી જે ક્રોધને જુએ છે તે માનને જુએ છે. જે માણદેસી સે માયદેસી જે માનને જુએ છે તે પ્રમાણને જુએ છે. જે માયદેસી સે લોભદેસી જે માયાને જુએ છે તે લોભને જુએ છે. જે લોભદેસી સે વેજદંસી જે લોભને જુએ છે તે પ્રેમને જુએ છે. જે પેજદંસી સે દોસદંસી જે પ્રેમને જુએ છે તે દ્વેષને જુએ છે. જે દોસસી સે મોહાંસી જે દ્વેષને જુએ છે તે મોહને જુએ છે. જે મોહબંસી સે ગર્ભદેસી જે મોહને જુએ છે તે ગર્ભને જુએ છે. જે ગભદેસી સે જમ્મદંસી જે ગર્ભને જુએ છે તે જન્મને જુએ છે.
– અસ્તિત્વ અને અહિંસા, ૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org