________________
પરિણામે પગમારી આંખ એગીએ અને અમને
લોકાનાં દેહજં દુઃખ, પ્રધાન દશ્યતે મતમ્ /
દુઃખમાત્મવિદાં મુખ્ય, ક્રોધાદીનાં સમુભવઃ / ઇલાજ કોનો?
આજની ઉપચાર પદ્ધતિ પણ શારીરિક અને માનસિક ઉપચાર ઉપર કેન્દ્રિત છે. જે આત્મજ્ઞ છે, તે શારીરિક અને માનસિક દુઃખને દુઃખ નથી માનતો. તેની દૃષ્ટિએ દુઃખનું ચક્ર કાંઈક બીજું જ છે. એક માણસના પગમાં કાંટો વાગ્યો. તે ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે પગનો ઇલાજ કરવાને બદલે તેની આંખોમાં દવા નાંખી. રોગીએ એનું રહસ્ય જાણવા ઇછ્યું. ડોક્ટરે કહ્યું કે તમારી આંખનું તેજ ઓછું છે. તેથી તમને દેખાતું નથી. પરિણામે પગમાં કાંટો વાગ્યો. જો તમારી આંખો બરાબર હશે અને તમે જોઈને ચાલશો તો કાંટો નહિ વાગે.
આપણે આ વાત જુદી રીતે સમજીએ. લૌકિક માનવી કાંટાનો ઇલાજ કરશે પરંતુ આંખનો ઇલાજ નહિ કરે. આત્મવિ વ્યક્તિ આંખોનો ઇલાજ કરીને કાંટો વાગવાનું મૂળ કારણ જ દૂર કરી દેશે. જો આંખ બરાબર હશે તો કાંટા ઓછા વાગશે. આંખ બરાબર નહિ હોય તો કાંટા વાગતા જ રહેશે. લક્ષણની નહિ, લક્ષ્યની ચિકિત્સા
માણસ ગુસ્સો કરે છે. આત્મવિ વ્યક્તિ એમ વિચાર કરશે કે મને ક્રોધ પેદા થાય છે એનો અર્થ એ છે કે હું બીમાર છું. જેવી રીતે રોગ થવાથી ચિંતા જાગે છે, વ્યક્તિ દવાઓના ઢગલા કરી લે છે એવી જ રીતે ક્રોધ આવે ત્યારે પણ જે વ્યક્તિ ચિંતિત થઈ જાય અને તેનું મન ક્રોધનું શમન કરનારી દવાઓનો પ્રયોગ કરવા લાગે તો એમ માનવું જોઈએ કે એ વ્યક્તિએ ધર્મને સમજ્યો છે, આત્માને સમજ્યો છે. એના માટે ક્રોધ થવો એ દુઃખ છે. એને માટે બાકીનાં બધાં દુઃખો કાંઈ જ નથી. ઠંડી લાગે છે અને કષ્ટ થાય છે. ઠંડીની ઋતુ ચાલી જાય છે અને ઠંડીના કારણે પેદા થતું કષ્ટ સમાપ્ત થઈ જાય છે. આ ઋતુચક્ર દ્વારા ઉત્પન્ન થનારું કષ્ટ છે, પરંતુ દુઃખનું જે શાશ્વત ચક્ર છે તે ક્યારેય બદલાતું નથી.
મહાવીરે દુઃખનું એક ચક્ર બતાવ્યું- જન્મ, રોગ, ઘડપણ અને મૃત્યુ. હકીકતમાં આ દુઃખ ચક્રનું મૂળ કેન્દ્ર નથી તેથી એ વાત ઉપર
– અસ્તિત્વ અને અહિંસા , ૧૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org