________________
દુખનું ચક
જગતમાં દુઃખનું એક ચક્ર ચાલે છે. દુઃખનું કોઈ એક રૂપ નથી હોતું. લૌકિક માનવીનું દુઃખ પદાર્થના અભાવ સાથે જોડાયેલું હોય છે. આહાર, પાણી, મકાન, કપડાં, ધન, પરિવાર, જાયદાત વગેરેના અભાવને કારણે અથવા તો એની ઊણપને કારણે માનવી કષ્ટ સમજે છે. શરીરને કોઈ કષ્ટ થાય છે ત્યારે માણસ એમ સમજે છે કે તેને દુઃખ છે. શરીર અને પદાર્થની આસપાસ દુઃખનું એક ચક્ર ચાલી રહ્યું છે. જેઓ આત્મવિદ્ છે, આત્મા અને ધર્મના મર્મને જાણે છે, તેમને શરીરનું દુઃખ લાગતું જ નથી. એને શરીરનું દુઃખ જો દુઃખરૂપ લાગતું હોત તો તપસ્યાની યાદી આટલી મોટી ન બની હોત. ભોજન ન કરવું એ લૌકિક માનવી માટે દુઃખ હોઈ શકે, પરંતુ એક આત્મવિદ્ માટે તેમાં કોઈ દુઃખ નથી. દુઃખના પ્રકાર
નયચક્રમાં દુઃખના ચાર પ્રકારો બતાવવામાં આવ્યા છે – સહજું ખુધાઈજાદં, ણમિત્ત સીદવાદમાદીહિં / રોગાદિયા અ દેહજ, અણિöજોએ તુ માણસિયં / સહજદુઃખ – ભૂખ, તરસ વગેરેને કારણે થતું દુઃખ. નૈમિત્તિક દુઃખ – ઠંડી, ગરમી, હવા વગેરેને કારણે થતું દુઃખ. દેહજ દુઃખ – રોગ વગેરેને કારણે થતું દુઃખ.
માનસિક દુઃખ – ઇષ્ટ-અનિષ્ટના વિયોગ-સંયોગ વગેરેને કારણે થતું દુ:ખ.
લૌકિક માનવીની પહોંચ શારીરિક અને માનસિક દુઃખથી આગળ નથી હોતી. તેની દૃષ્ટિએ શારીરિક દુઃખ જ મુખ્ય હોય છે, પરંતુ આત્મવિદની દૃષ્ટિએ એ દુઃખ જ નથી. એની દૃષ્ટિએ તો મુખ્ય દુઃખ ક્રોધ વગેરે કષાયોના સમુભવનું જ છે.
- અસ્તિત્વ અને અહિંસા ૧૩૭ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org