SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શરૂ થયો. પરિણામ એ આવ્યું કે મંડનમિશ્રની માળા કરમાઈ ગઈ. શંકરાચાર્ય જીતી ગયા, મંડનમિશ્ર પરાજિત થયા. શોધ નિબંધનો વિષય હતો કે “શું આ કોઈ ચમત્કાર છે ?' સામાન્ય માણસ તો કદાચ એમ કહેશે કે શંકરાચાર્ય તાંત્રિક હશે, માંત્રિક હશે, જ્ઞાની હશે. એમણે ચમત્કાર કર્યો તેથી તેમની માળા ન કરમાઈ; પરંતુ જે માણસ નિયમને જાણે છે, જે આલોચક છે તે તથ્યની શોધ કરે છે, તે ક્યારેય ચમત્કારને માનતો નથી. બે પ્રમાણ શ્રી દેસાઈના સંશોધનનો સાર એ હતો કે મંડનમિશ્ર ગભરાઈ ગયા, તેમનો શ્વાસ ટૂંકો થઈ ગયો અને તેમના શરીરની ગરમી વધી ગઈ. શરીરની ગરમી વધી જવાને કારણે માળા કરમાઈ ગઈ. પોતાની એ સ્થાપનાના સમર્થનમાં શ્રી દેસાઈએ બે પ્રમાણ રજૂ કર્યા. પ્રથમ સ્વયં સાથે સંબદ્ધ હતું. એમણે લખ્યું કે મને હાર્ટએટેક આવ્યો હતો. એ વખતે મેં આત્માલોચન કર્યું. મને એવો નિષ્કર્ષ પ્રાપ્ત થયો કે માણસ હાર્ટએટેકથી મરતો નથી. માણસ મરે છે ગભરાટને કારણે. ગભરાટને કારણે તેનો શ્વાસ ટૂંકો થઈ જાય છે અને શરીરમાં ગરમી આવી જાય છે. તેમણે બીજું પ્રમાણ એ આપ્યું કે આ ઘટના પછી મારા મનમાં ભાવના જાગી કે મારે શ્વાસ વિશે સઘળી માહિતી મેળવવી જોઈએ. સંજોગવશાત્ મને પ્રેક્ષાધ્યાનનું કેટલું સાહિત્ય પ્રાપ્ત થઈ ગયું. એમાં એક પુસ્તક હતું શ્વાસપ્રેક્ષા. એ પુસ્તકમાં મને વાંચવા મળ્યું કે શ્વાસની ગતિ વધવાને કારણે શરીરની ગરમી વધી જાય છે. આ કથન થકી મારી સ્થાપનાને નક્કર આધાર મળી ગયો. પોતાનો અનુભવ અને શ્વાસપેક્ષા પુસ્તકમાંથી પ્રાપ્ત અનુભવ આ બન્ને પ્રમાણોના આધારે હું આ સિદ્ધાંતનું સમર્થન કરું છું કે મંડન મિશ્રની માળા કરમાઈ ગઈ એમાં કોઈ ચમત્કાર નહોતો, એ માત્ર ટૂંકા શ્વાસનું જ પરિણામ હતું. શ્રી દેસાઈની આ તર્કસંગત પ્રસ્થાપનાને વિદ્વાનો દ્વારા પણ વ્યાપક ટેકો મળ્યો. મહત્ત્વપૂર્ણ સૂત્ર આનું નામ છે અનુસંધાન અને આલોચન. જે આલોચના કરે છે તે કોઈક નિષ્કર્ષ ઉપર પહોંચે છે. આલોચના તથા અન્વેષણ વગર કોઈ સાચો નિષ્કર્ષ મળતો નથી. જે ઘટના ઘટે છે, વ્યક્તિ તેને ભોગવી લે છે, તેની આલોચના નથી કરતી. પરિણામે તે ઘટનાનાં કારણોથી બેખબર – અસ્તિત્વ અને અહિંસા ક ૧૧૩ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy