________________
કેસ ચાલી રહ્યો છે. પેલા માણસની શાંતિ ગાયબ થઈ જશે. એનું કારણ એ છે કે એનામાં મૈત્રીનો વિકાસ થયેલો નથી. જો મૈત્રી અને પ્રમોદનો ભાવ પ્રબળ હોત તો કોઈ પણ વ્યક્તિ તેને દુઃખી ન કરી શકી હોત. વ્યક્તિમાં કરુણા હશે તો તે દુઃખી નહિ થાય, ક્રૂરતા હશે તો તે અવશ્ય દુઃખી થશે. ચોથું તત્ત્વ છે – ઉપેક્ષા–મધ્યસ્થતા. લડાઈ ક્યાંક બીજે ચાલી રહી હોય છતાં વ્યક્તિ તેમાં ફસાઈ જાય તો એ દુઃખી બને છે. આ જગતમાં એવા પણ લોકો છે કે જેઓ મુકદ્દમા ખરીદીને લડે છે ! વ્યક્તિ એમ કહે છે કે તમે મને પચાસ હજાર રૂપિયા આપો, હું તમારો મુકદ્દમો લડીશ. આ પણ એક ધંધો છે, વ્યવસાય છે. બીજાની લડાઈનો બોજ પોતાને માથે લે છે અને પોતાના દુઃખે દુઃખી બની જાય છે. જ્યાં મધ્યસ્થતા હોય છે ત્યાં આ બધી બાબતો હોતી નથી. પરિણામે વ્યક્તિ સુખી બની જાય છે. સાધનાની કસોટી
મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા આ ચારેય નિષ્પતિઓ અધ્યાત્મસાધનાની છે. જો જીવનમાં મૈત્રીનો વિકાસ થયેલો ન હોય, પ્રમોદ અને કરુણાનો વિકાસ થયેલો ન હોય, તટસ્થતાનો વિકાસ થયેલો ન હોય તો એમ માનવું જોઈએ કે આપણે અધ્યાત્મને સમજ્યા જ નથી. આ ચાર કસોટીઓ અધ્યાત્મસાધનાની છે અને એ જ છે અમૂચ્છ. જો આત્મવિશ્લેષણની સાથે સમ્યક્ અનુભૂતિ કરીએ, પોતાની જાતને અવલોકીએ તો પોતાના ભીતરમાં આ પ્રમાણે વ્યાખ્યા પ્રસ્ફટિત થશે –
જ્યાં જ્યાં મારી મૂર્છા હોય છે ત્યાં ત્યાં મને દુઃખ મળે છે, જ્યાં જ્યાં મૂચ્છમોહ હોય છે ત્યાં ત્યાં મને દુઃખ મળે છે. આ સત્ય પ્રત્યેક
વ્યક્તિનું અનુભૂત સત્ય છે. જે માણસ સુખની કામના કરે છે, કામનાઓનો બોજ ઊંચકી લે છે એ જ કામના તેને માટે પીડા બની રહે છે. વ્યથા અને પીડામાંથી મુક્તિ પામવા માટે મૂચ્છને તોડવી અનિવાર્ય છે. જેમ જેમ મૂચ્છ ઘટતી જશે તેમ તેમ દુઃખ ઓછું થતું જશે, વ્યક્તિ સ્વાભાવિક રીતે સુખની દિશા પ્રાપ્ત કરી લેશે.
અસ્તિત્વ અને અહિંસા ક ૧૧૦ —–
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org