________________
વિચાર કર્યો જ નહોતો. એવી વાત તેમને સાંભળવા મળી અને એમ લાગ્યું કે, અગ્નિની જ્વાળા ઉપર જળનો અભિષેક થઈ રહ્યો હોય !
વ્યાપક વ્યાખ્યા
આપણા દાર્શનિકોએ સુખની વ્યાખ્યા અત્યંત હળવા સ્તરે આપી છે- અનુકુલ વેદનીય સુખમ્ આ તે વળી કોઈ સુખ કહેવાય ? અનુકૂળ વેદનની સાથેસાથે પ્રતિકૂળ વેદના તૈયાર રહે છે. મોટેભાગે એવું જોવા મળ્યું છે કે અનુકૂળતા આવે છે ત્યારે સાથે સાથે પ્રતિકૂળતા પણ આવી જાય છે. ઘરમાં ધન ખૂબ હશે, પત્ની હશે, બધું જ બરાબર હશે પરંતુ એક દીકરો એવો પેદા થઈ જશે કે જે તમામ સુખો ઉપર પાણી ફેરવી દેશે. માતા-પિતાનું સુખ ખતમ થઈ જશે. તેઓ ચિંતિત થઈ જશે. તેઓ એમ વિચારશે કે આવો દિકરો પેદા થયો જ ન હોત તો કેવું સારું ! જેમને દીકરો નથી હોતો એ લોકો દીકરા માટે રડે છે અને જેમને દીકરો છે એ લોકો પણ દીકરાને કારણે રડે છે !
સુખ-દુઃખની વ્યાપક વ્યાખ્યા આ જ હોઈ શકે – અમૂર્છા સુખ છે, અમૂચ્છ દુઃખ છે. ઇન્દ્રિય સંવેદન પણ ત્યાં સુધી જ થાય છે,
જ્યાં સુધી મૂચ્છ ઊંડી નથી હોતી. જ્યારે મૂચ્છ ઊંડી થાય છે, ત્યારે ઇન્દ્રિય સંવેદન પણ સમાપ્ત થઈ જાય છે. જે વ્યક્તિ ખાવા માટે વિશેષ લોલુપ હોય છે તેને ક્યારેય ભોજનનો સ્વાદ મળતો નથી. ભોજનનો સ્વાદ એ જ વ્યક્તિને મળે છે કે જે તટસ્થ રહેવાનું જાણે છે. જાગરૂકતા વગર ઇન્દ્રિય સંવેદનનું સુખ પણ નથી થતું, માનસિક સુખ પણ નથી મળતું. સુખનું સૂત્ર
સુખનું સૂત્ર છે – પોતે જ અદુઃખી થવું. જો આ વાત સમજાઈ જાય તો આપણે કહી શકીએ કે જે માધ્યસ્થ છે, નિર્જરાપેક્ષી છે તે સુખી છે. નિર્જરાપેક્ષી હોવું એટલે નિષેધાત્મક સંસ્કારો દૂર કરવા, વિધાયક ભાવોનો વિકાસ કરવો. તટસ્થ માનવી જે અનુભૂતિ કરી શકે છે તે કાદવ-કીચડથી ખરડાયેલો માણસ ક્યારેય કરી શકતો નથી. અધ્યાત્મના ગ્રંથોમાં સુખનાં ચાર સૂત્રો બતાવવામાં આવ્યાં છે– મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ. સુખના આ ચાર મૂળ સ્ત્રોત છે. એમાંથી આપણે ઇચ્છીએ તેટલું સુખ પામી શકીએ છીએ. એક માણસ શાંત બેઠો છે. તેની સામેથી એક એવી વ્યક્તિ પસાર થાય છે કે જેની સાથે તેને અદાલતમાં
-- અસ્તિત્વ અને અહિંસા ક૧૦૯ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org