SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પકડવામાં નથી આવ્યો. મહાવીરે ખૂબ સરસ સેતુ બતાવી દીધો. એક તરફ વ્યક્તિ સુખાર્થી છે, બીજી તરફ દુઃખ છે. એનું કારણ છે - વ્યક્તિ પોતાના જ દુઃખથી મૂઢ બનેલી છે. અબદ્ધને કોઈ બાંધી નથી શકતું, અદુઃખીને કોઈ દુઃખી કરી નથી શકતું. દુઃખી વ્યક્તિ જ દુઃખ પામે છે. વ્યક્તિ દુઃખી છે તેથી જ દુઃખ પામે છે. વ્યક્તિમાં સુખની લાલસા જાગે છે દુઃખને ટાળવા માટે, પરંતુ ભીતરમાં દુઃખ છલોછલ હોય છે પછી તે સુખની દિશામાં શી રીતે ચાલી શકશે ? આપણે આ સચ્ચાઈને સમજીએ. જ્યાં સુધી મૂચ્છ રહેશે ત્યાં સુધી વ્યક્તિ દુખી જ રહેશે. એક ભાઈએ કહ્યું કે મને ખૂબ ડર લાગે છે. મોટરમાં પ્રવાસ કરતી વખતે, ટ્રેનમાં યાત્રા કરતી વખતે મને સતત એવો ભય રહે છે કે ક્યાંક અકસ્માત ન થઈ જાય. પુલ ઉપરથી હું પસાર થતો હોઉં છું ત્યારે મને એવો ભય લાગે છે કે રખેને પુલ તૂટી ન જાય, હું નીચે દટાઈ ન જાઉં. હકીકતમાં આપણે પોતાના જ ભયથી દુઃખી બનેલા છીએ, મૂઢ બનેલા છીએ. નવું બ્રહ્મચર્ય - જ્યાં સુધી મૂર્છાને દૂર કરવાની વાત કે ઘટાડવાની વાત નહિ વિચારમાં આવે ત્યાં સુધી હજારો હજારો સાધનો ઊભાં કરવા છતાં માણસ દુઃખી ને દુઃખી રહેશે. જો પદાર્થોની ઉપલબ્ધિ અને ભોગ વડે જ માણસ સુખી થતો હોત તો સૌથી વધુ સુખી પશ્ચિમના દેશોના લોકો હોત. અમેરિકા, જાપાન, જર્મની વગેરે દેશોના લોકો ખૂબ સુખી હોત – જ્યાં પદાર્થોની કોઈ ઊણપ નથી, ધનની નદીઓ વહી રહી છે. અમેરિકામાં સેક્સ વિષયક ઘણું સાહિત્ય પ્રગટ કરવામાં આવ્યું. કામ સુખ માટે આંધળો પ્રચાર કરવામાં આવ્યો. પરંતુ તેનું પરિણામ સુખદ નથી આવ્યું. એક પુસ્તક પ્રગટ થયું – “નવું બ્રહ્મચર્ય.' આ પુસ્તકે અમેરિકામાં ચકચાર પેદા કરી. એમાં એમ લખ્યું હતું કે બ્રહ્મચર્ય દ્વારા પ્રસન્નતા જળવાઈ રહે છે, શાંતિ મળે છે. લોકો એ પુસ્તક મેળવવા માટે વ્યાકુળ બની ઊઠ્યા. એમણે માત્ર ઇન્દ્રિય સંવેદનના આધારે જ સુખ માન્યું હતું. ઇન્દ્રિય સંવેદનથી પર પણ સુખ હોય છે એ વાત એમના માટે તદ્દન નવી જ વાત હતી. અમૂર્છાના સ્તરે, વીતરાગતાના સ્તરે, રાગાતીત ચેતનાના સ્તરે જે સુખ મળે છે એના વિશે એમણે ક્યારેય -------- અસ્તિત્વ અને અહિંસા કે ૧૦૮ ------- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy