________________
છે. મજાના સુખનો અનુભવ થઈ રહ્યો છે. બરાબર એ જ વખતે એક ફોન આવે છે અને એને જાણવા મળે છે કે એના વ્યવસાયમાં પચાસ લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. હવે શું થશે ? એ જ રુચિકર પદાર્થો થાળીમાં સામે પડેલા છે, સુખ-સુવિધાનાં સાધનો પણ યથાવત્ છે. પરંતુ ઇન્દ્રિય સંવેદનનું સુખ સમાપ્ત થઈ જાય છે. મન ઉપર એક ઊંડો આઘાત લાગ્યો. જે પદાર્થો, જે ભોજન સુખ આપતાં હતાં તે વિષ સમાન લાગવા માંડે છે. આમ કેમ થયું ? - જે સ્તર ઉપર સુખનું સંવેદન હતું, ત્યાં બીજું સ્તર આવી જતાં એ સંવેદન સમાપ્ત થઈ ગયું અને દુઃખનો સ્ત્રોત ફૂટી નીકળ્યો. માણસ પોતાના દુઃખથી મૂઢ બની ગયો. નુકસાન તો બીજે થયું હતું, પરંતુ . પોતાની અંદર તેની મૂર્છા હતી, તેનું દુઃખ હતું. તે પ્રગટ થયું. વ્યક્તિ . પોતાના જ દુઃખથી મૂઢ બની ગઈ, સુખના બદલે દુઃખનું સામ્રાજ્ય
સ્થપાઈ ગયું. મહાવીરની વ્યાખ્યા
મહાવીરે કહ્યું કે માણસ ઇચ્છે છે સુખ અને તે જાય છે દુઃખની દિશામાં. તે મૂઢ વ્યક્તિ પોતાના દ્વારા કૃતકર્મોથી વિપર્યાસ પામે છે, સુખનો અર્થી બનીને દુઃખ પ્રાપ્ત કરે છે- સુહઠી લાલમ્પમાણે સએણ દુષ્મણ મૂઢ વિધ્વરિયાસમુતિ / આપણે એ આધારે સુખ અને દુઃખની વ્યાખ્યા કરીએ. મહાવીરની વાણી મુજબ સુખ અને દુઃખની વ્યાખ્યા મુજબ આ પ્રમાણે થશે – મૂચ્છ દુઃખ, અમ્ સુખમ્. મૂચ્છ દુઃખ છે, અમૂચ્છ સુખ છે. જ્યાં મૂચ્છ પ્રબળ બને છે, ત્યાં ઇન્દ્રિયનું અનુકૂળ સંવેદન પણ દુઃખમાં પરિવર્તિત થઈ જાય છે. માનસિક સંવેદન પણ દુઃખમાં પરિવર્તિત થઈ જય છે. મૂચ્છ ભાવાત્મક અવરોધ છે. ક્રોધ, ભય, ઈર્ષ્યા, અહંકાર- આ તમામ મૂચ્છના પ્રકારો છે. જ્યાં જ્યાં મૂચ્છ આવે છે ત્યાં ત્યાં માણસ દુઃખી થઈ જાય છે. મૂચ્છને કારણે માણસ દુઃખનું સંવેદન કરે છે. દુઃખનું સૌથી મોટું કારણ મૂચ્છ છે. સુખનું સૌથી મોટું કારણ અમૂચ્છ છે. મૂચ્છ અને મોહ ટળે તો ક્યારેય વિપર્યાસ થતો નથી. સુખ-દુઃખનું કારણ
માણસ ચાલે છે સુખ માટે અને થઈ જાય છે દુઃખી. પ્રશ્ન ઉદ્ભવે છે કે એવું કેમ થાય છે ? સુખ અને દુઃખ વચ્ચે એક સેતુ છે. એ સેતુને
-- અસ્તિત્વ અને અહિંસા ૧૦૭ ––
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org