________________
સંદર્ભ ભોજનનો
એક સાધુ પણ ખોરાક ખાય છે અને એક ગૃહસ્થ પણ ખોરાક ખાય છે. પારિભાષિક શબ્દાવલીથી દૂર જઈને કહીએ તો એક ભોક્તા પણ ખોરાક ખાય છે અને એક દ્રષ્ટા પણ ખોરાક ખાય છે. ઘટના એક જ છે પરંતુ દ્રષ્ટિકોણ અલગ અલગ છે. દ્રષ્ટા ખાશે જીવનયાપન માટે, પ્રાણ-ધારણ માટે અને સંયમનો નિર્વાહ કરવા માટે. ખાવા પાછળ તેની મનોવૃત્તિ શરીરને પોષણ આપવાની, ગાડીને ઇંધણ આપવાની (જેના થકી ગાડી ચાલી શકે)ની હોય છે. ખાવાનો દૃષ્ટિકોણ બદલાઈ જતાં અધ્યવસાય પણ બદલાઈ જાય છે. ભીતરમાં ખાવાની વૃત્તિ નથી, કંઈક બીજું જ છે. બાહ્ય ઘટના ખાવાની છે જ્યારે ભીતરની ઘટના સંયમની છે. કોઈ સામાન્ય માણસ ખાય છે સ્વાદ માટે, શરીરને હષ્ટ્ર-પુષ્ટ કરવા માટે. ખાવા પાછળનો તેનો દૃષ્ટિકોણ આવો હોય છે : હું સારો દેખાઉં. મારો રંગ ગોરો લાગે. મારું શરીર સારું દેખાય. તે આ બધી વાતોની પરવા કરતો હોય છે. પરંતુ તે એમ નથી વિચારતો કે ખાવાનું પરિણામ કેવું આવશે ? આ ભોજન ઉત્તેજના તો નહિ વધારે ને ? કાર્ટિજોનનું પ્રમાણ તો નહિ વધારી મૂકે ને ? આપણો એક સંબંધ છે-હાઈપોથેલેમસ, પિટ્યુટરી, એડ્રીનલ અને એડ્રીનલ દ્વારા કાર્ટિજોન સાથે-આ એક શૃંખલા છે. કાર્ટિજોનનું પ્રમાણ વધી જાય તો કામવાસના તીવ્ર થઈ જાય છે. તેનું પ્રમાણ ઘટી જાય તો કામ-ઉત્તેજના પણ ઘટી જાય છે. નિર્દેશનો અર્થ
મહાવીરે મુનિ માટે એવું વિધાન કર્યું કે વર્ણ (વાન)ને વિશિષ્ટ બનાવવાં તથા સૌંદર્યને વધારવા માટે મુનિએ ભોજન ન લેવું જોઈએ, દવા ન લેવી જોઈએ. બીમારી મટાડવા માટે તે દવા ભલે લે, પરંતુ વર્ણ અને કાંતિ વધારવા માટે નહિ. આ નિર્દેશ મુનિ માટે છે. એનો અર્થ એ છે કે તે દ્રષ્ટા રહે, ભોક્તા ન બને. આ એક લક્ષ્મણરેખા દોરવાનું સૂત્ર છે. મહાવીરે એવું ક્યારેય નથી કહ્યું કે તમે કપડાં ન પહેરો. સાધનામાં જે પ્રમાણે સુવિધા હોય, ઇચ્છો તો કપડાં પહેરો- ન ઇચ્છો તો ન પહેરો. મુનિ ઇચ્છે તો ભોજન કરે અને ઇચ્છે તો ઉપવાસ કરે. અનિવાર્ય છે એક દિવસ ઉપવાસ કરવો, સંવત્સરીના દિવસે ઉપવાસ કરવો. અન્ય કોઈ અનિવાર્યતા નથી, પરંતુ તે જે કરે તે દ્રષ્ટાભાવથી કરે, જાગરૂકતાપૂર્વક કરે.
------- અસ્તિત્વ અને અહિંસા - ૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org