SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની ભૂમિકાનો સ્પર્શ કરીએ દ્રષ્ટા હોવું એનો અર્થ છે વ્યવહાર અલૌકિક બની જવો, લોકોત્તર બની જવો. લોકોત્તર વ્યવહાર થશે તો અધ્યવસાય શુદ્ધ બનશે, જાગરૂકતાથી પરિપૂર્ણ બનશે. લૌકિક વ્યવહારની સાથે અધ્યવસાય નહિ જોડાય, માત્ર ઘટના જોડાશે. જ્યાં ઘટના મુખ્ય બની જાય છે, ત્યાં દ્રષ્ટાભાવ નથી રહેતો. મૂળ વાત એ છે કે આપણી દૃષ્ટિ યથાર્થ બને, જ્ઞાતા-દ્રષ્ટાની ચેતના જાગે, આપણે માત્ર ઘટના ઉપર ન અટકી જઈએ. ઘટનાના આધારે નિર્ણય લેવો એ લૌકિક ચેતનાનું કાર્ય છે. આપણે ત્યાંથી આગળ વધીએ, લોકોત્તર ચેતનાને જગાડીએ, જ્યાં સામાન્યઅસામાન્ય અને વિશિષ્ટ-ત્રણેય વ્યક્તિત્વ નીચે રહી જાય છે. જ્ઞાતાદષ્ટાનો વ્યવહાર આત્માની ભૂમિકાએ પહોંચી જાય છે. આ સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ છે- માત્ર વંશાનુક્રમ અથવા તો સામાજિક વાતાવરણના આધારે જ તમામ નિર્ણયો ન કરીએ, તે બન્નેની સાથે આત્માને જોડીએ. આત્માને જાણીને નિર્ણય લઈએ. આત્મા શું કહે છે ? આત્માનો નિર્ણય શો છે ? ભીતરનો અધ્યવસાય શો છે ? આ અધ્યવસાયોની સાથે ચાલીએ તો અધ્યાત્મને એક નવો જ પ્રકાશ મળશે, નવી જ દૃષ્ટિ મળશે. વ્યવહાર બદલાઈ જશે, વ્યવહાર જીવિત બની જશે, વ્યવહારમાં જેટલું અસામંજસ્ય હશે તે સમાપ્ત થઈ જશે. ભોક્તાભાવથી દ્રષ્ટાભાવની દિશામાં પ્રસ્થાન શક્ય બની જશે. Jain Education International અસ્તિત્વ અને અહિંસા ) ૧૦૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy