________________
ધ્યાનનો આરંભ મનના સ્તરે થઈ શકે, પરંતુ આખરે તો મનથી મુક્ત જ થવાનું હોય છે. જ્યાં સુધી વ્યક્તિ મનને સાથે લઈને ચાલે ત્યાં સુધી તે પરિસ્થિતિઓને ભોગવતી રહેશે. મનોવિજ્ઞાનના મત અનુસાર આપણાં પ્રવૃત્તિ અને વ્યવહારનો એક સ્ત્રોત છે – વંશાનુક્રમ. જેવો વંશાનુક્રમ હોય છે, તેવી શરીરની રચના થાય છે, માનવીનાં આચરણ અને વ્યવહાર પણ એવાં જ થાય છે. મોટું કારણ છે જીન. જેવા જીન હોય છે, તેવી જ શારીરિક અને મસ્તિષ્કીય રચના થાય છે અને તેવો જ વ્યવહાર થાય છે.
વ્યવહારનો બીજો સ્ત્રોત છે પરિવેશ. જેવું વાતાવરણ કે પરિવેશ મળે છે, એવી જ વ્યક્તિ બની જાય છે. મનોવિજ્ઞાનમાં આ બન્ને તત્ત્વોના સંદર્ભમાં જ માનવીના વ્યવહારની વ્યાખ્યા આપવામાં આવી છે. ત્રીજી વાત, જે મુખ્ય હતી, તેને છોડી દેવામાં આવી છે. વંશાનુક્રમ પણ કારણ બને છે, પરિવેશ પણ કારણ બને છે પરંતુ વ્યક્તિના અસ્તિત્વનો તદ્દન નકાર કરી દેવામાં આવ્યો. જો આત્મવાદી દર્શન હોત તો ત્રણ વાતો સામે આવી હોત – આત્માની પોતાની ક્ષમતા, વંશાનુક્રમ અને પરિવેશ. વ્યવઠાર : કારકતત્ત્વ
આપણા વ્યવહારનાં આ ત્રણ કારકતત્ત્વ છે : આત્મિક અથવા કાર્મિક, યોગ્યતા, વંશાનુક્રમ અને પરિવેશ. મનોવિજ્ઞાનનો અભ્યાસ કરનાર બે કારણો જાણે છે, પરંતુ ત્રીજા કારણને જાણી શક્તો નથી. એક જ ઘટના કે પરિવેશ ઉપર બે પ્રકારના વ્યવહારની પ્રણાલીઓ જોવા મળે છે. એનું કારણ આંતરિકતા સાથે જોડાયેલું છે. એક માણસ ઘટના ઉપર એક પ્રકારનો વ્યવહાર કરે છે, બીજો માણસ બીજા પ્રકારનો વ્યવહાર કરે છે. એનું કારણ શું છે? કોઈ વ્યક્તિએ ગાળ દીધી. એક માણસ એ ગાળ સાંભળીને ગુસ્સામાં આવી જાય છે, ઉત્તેજિત થઈ જાય છે. બીજો માણસ ગાળ સાંભળીને પણ પોતાની પ્રસન્નતા ટકાવી રાખે છે. પરિવેશ અને ઘટના એક જ હોવા છતાં વ્યવહાર અલગ અલગ જોવા મળે છે. આ આપણી ચેતનાની અલગ અલગ ભૂમિકાઓ છે. એક માણસ અત્યંત ક્ષુલ્લક વાતમાં પણ ઉત્તેજિત થઈ જાય છે, માત્ર દ્રષ્ટા રહી શકતો નથી. તે બીજાને જોઈને ચાલતો હોય છે. જ્યારે વ્યક્તિ દ્રષ્ટા બની જાય છે ત્યારે પર કે પરાયું એવી તમામ વાતો સમાપ્ત થઈ જાય છે.
-- અસ્તિત્વ અને અહિંસા - ૧૦૧ ---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org