________________
મનનો ખેલ છે. જ્યાં સુધી માણસ મનના સ્તર ઉપર જીવશે ત્યાં સુધી આમ જ થશે. આપણો એક સ્તર છે – મનોતીત, જ્યાં મનના તમામ ખેલ સમાપ્ત થઈ જાય છે. જ્યારે માણસ મનને પાર કરીને ચેતનાની ભૂમિકામાં પહોંચી જાય છે ત્યારે આ તમામ સ્થિતિઓ સમાપ્ત થઈ જાય છે. કોઈને જોઈને વીતરાગને રુદન નથી થતું. પ્રશ્ન થઈ શકે કે શું તેઓ ક્રૂર અને નિષ્કરણ હોય છે ? નાતેમનામાં અહિંસા અને મૈત્રીનો અગાધ પ્રવાહ વહેતો હોય છે, પરંતુ તેમના મનના ખેલ સમાપ્ત થઈ ગયા હોય છે તેથી મનના સ્તર ઉપર ઘટનાનો કોઈ પ્રભાવ નથી પડતો. ભગવાન મહાવીરે આ સચ્ચાઈને એક સૂત્રમાં વ્યક્ત કરી – અહા ણં પાસીં પરિહરેજ્જા- જે પશ્યક છે, દ્રષ્ટા છે તે ભોગ કરશે, તમામ વ્યવહાર કરશે છતાં તેનો વ્યવહાર બીજાઓ કરતાં અલગ પ્રકારનો હશે. ભોક્તાનો વ્યવસ્કાર
એક વ્યક્તિ દ્રષ્ય નથી, ભોક્તા છે, તે મનના સ્તર ઉપર જીવશે. તે ચાલી રહી છે. તેને કોઈ ગીત સંભળાય છે. તેનું મન એ ગીતમાં ખોવાઈ જાય છે. ચાલતાં ચાલતાં તે ઠોકર પણ ખાઈ બેસે છે. રસ્તામાં કોઈ દુકાન જોઈને તે ઊભી રહી જશે. જો ક્યાંક ઝઘડો ચાલતો હશે તો તે એને જોવા ઊભી રહી જશે, ઝઘડામાં ભાગ પણ લેશે. જે કોઈ ઘટના તેની સામે આવશે તેની સાથે તેનું મન જોડાઈ જશે કારણ કે તે મનના
સ્તરે જીવે છે. પરંતુ જે દ્રષ્ય છે તે એ રીતે નહિ ચાલે. દ્રષ્યની ચાલવાની રીત આ પ્રમાણે હોય છે.
ઇન્દ્રિયોના વિષય તથા સ્વાધ્યાયનું વર્જન કરીને ગતિમાં તન્મય હોવો જોઈએ. એને જ મુખ્ય બનાવીને ચાલતો હોવો જોઈએ. તફાવત છે રષ્ટિકોણનો
ચાલતી વખતે પાંચેય ઈન્દ્રિયો દ્વારા કામ નથી લેતો. માત્ર રસ્તો જોવા માટે આંખોથી કામ લેશે. તે ચાલતાં ચાલતાં ચિંતન નહિ કરે, સ્મૃતિ નહિ કરે, કલ્પનાનો ઢગલો નહિ કરે. એણે જ્યાં પહોંચવાનું હશે ત્યાં પહોંચશે પરંતુ આખા માર્ગમાં પૂર્ણરૂપે જાગરૂક બની રહેશે. દ્રષ્ય બોલે પણ છે, જુએ પણ છે, ખાય પણ છે, સૂએ પણ છે; પરંતુ તેનાં આ તમામ કાર્યો એવી રીતે નથી કરતો જેવી રીતે મનના ખેલ ખેલનારો કરતો હોય છે. એક સામાન્ય માણસ પણ વસ્ત્રો પહેરે છે અને એક દ્રષ્ટા પણ વસ્ત્રો પહેરે છે, પરંતુ તે બન્નેની દૃષ્ટિમાં તફાવત હોય છે.
– અસ્તિત્વ અને અહિંસા ૯૯ -- -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org