________________
દ્રષ્ટાનો વ્યવહાર
ઘટના એક અને અનુભૂતિઓ અનેક. એક જ પ્રકારની ઘટનામાં ભૌતિક દૃષ્ટિએ કોઈ તફાવત નથી હોતો, પરંતુ આંતરિક અને આધ્યવસાયિક દૃષ્ટિએ ઘણો મોટો તફાવત હોય છે. સ્થૂળ દૃષ્ટિવાળી વ્યક્તિ ઘટનાને જુએ છે પરંતુ અધ્યવસાયને નથી જોઈ શકતી. અધ્યવસાય આંતરિક છે તેથી તેની ખબર નથી પડતી. ઘટના સ્થળ હોય છે, તે આપણને દેખાય છે. ઘણા બધા નિર્ણયો ઘટનાને આધારે કરવામાં આવે છે, આંતરિકતાના આધારે નહિ. મનોવૈજ્ઞાનિકોએ વ્યવહારનું ખૂબ વિશ્લેષણ કર્યું, પરંતુ તે મનના સ્તર સુધી જ પહોંચી શક્યા. એનાથી વિશેષ આગળ ન પહોંચી શકયા. મનોવિજ્ઞાનમાં ચિત્તને પણ પકડવામાં આવ્યું છે પરંતુ ચેતનાના ઊંડા સ્તરોની ચર્ચા ધર્મના ક્ષેત્રમાં જ વિશેષ થયેલી છે. ભોક્તા : દ્રષ્ટા
મનોવિજ્ઞાનમાં વ્યક્તિત્વના ત્રણ વર્ગ કરવામાં આવે છે - સામાન્ય, અસામાન્ય અને વિશિષ્ટ. અધ્યાત્મમાં એક બીજો વર્ગ પણ છે ભોક્તા અને દ્રયનો. ભોક્તા ઘટનાને ભોગવનારો હોય છે અને દ્રવ ઘટનાને જાણનારો હોય છે. માનવીની સામાન્ય પ્રકૃતિ ઘટનાને ભોગવવાની હોય છે. સામે દયનીય ઘટના ઘટે છે અને કરુણાનો ભાવ જાગી જાય છે. ભયાનક ઘટના ઘટે છે ત્યારે ભય લાગવા માંડે છે. રોદ્ર ઘટના ઘટે છે ત્યારે ધૃણાનો ભાવ જાગી જાય છે. પૌરુષની ઘટના ઘટે છે ત્યારે પરાક્રમનો ભાવ જાગી જાય છે. જેવી ઘટના ઘટે છે એવો જ આપણો ભાવ બની જાય છે અને એવો જ રસ બની જાય છે. આના જ આધારે શૃંગારરસ, વીરરસ, કરુણરસ, હાસ્યરસ વગેરે રસ બન્યા. ભાવોના ઉદ્દીપન વડે તેમની અભિવ્યક્તિ થઈ. દ્રષ્ટનો વ્યવહાર માણસ ઘટનાને જુએ છે અને એમાં વહી જાય છે. આ બધો
- — અસ્તિત્વ અને અહિંસા , ૯૮ ––––
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org