SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિમળનાથ ચરિત્ર, વેશ્યા સૌભાગ્યમંજરી પણ હર્ષથી તેને મળવા માટે આવી. તેણને રત્નચૂડે સત્કારપુર્વક આ પ્રમાણે કહ્યું. “હે ભકે, મેં જે આ ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. તેનું કારણ તારું વચન જ છે.” તે વેશ્યા બેલી, “ઉત્તમ શેઠજી, તમેએ જે ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું, તેનું મૂળ કારણ તમારું સદ્ભાગ્ય છે, પણ હવે સજાની આજ્ઞાથી હું તમારી ગૃહિણ થઈશ.” પછી રત્નચૂડે મેટી ભેટ અને બુદ્ધિથી રાજાને ખુશ કરી દીધું. જેથી રાજાએ તેને મુખ્ય નગરશેઠ બનાવ્યું અને તે સંભાગ્યમંજરી વેશ્યા તેને અર્પણ કરી. એક વખતે ચતુર્નાની એવા ધર્મશેષ સૂરિ સાધુઓના પરિવાર સાથે બાહેરના ઉદ્યાનમાં આવી ચડયા. ત્યાં રાજા વિગેરે સર્વ જન તેમને વંદના કરવાને આવ્યા. રત્નાકર શેઠ પણ પિતાના રચૂડ પુત્રને સાથે લઈને ઉદ્યાનમાં ગયે. તેણે વંદના કરી સમય જોઈ ગુરૂને આ પ્રમાણે પુછયું, “ભગવન, કયા પુણ્યથી મારે પુત્ર રત્નચૂડ સંકટમાં પડયા છતાં તેમાંથી બચીને ઘણું લક્ષ્મી લઈ આવ્યો?” ગુરૂએ ઉત્તર આપે, “શેઠ, તમારા આ ભાગ્યવાન પુત્રને પુર્વભવે કરેલા પુણ્યથી વિપત્તિ પણ સંપત્તિ રૂપ થઈ છે.” રત્નાકર શેઠ બોલ્યા, “હે પૂજ્ય. એને પુર્વભવ કેવો હતો ?” આ પ્રમાણે પુછવાથી ગુરૂએ રત્નચૂડકુમારના પુર્વભવની કથા કહેવા માંડી. રત્નચૂડકુમારના પૂર્વભવની કથા. નંદિગ્રામમાં પૂર્વે એક વૃદ્ધડોશી રહેતી હતી તે ઘણીજ ગરીબ સ્થિતિની હતી. તેને સ્થાવર નામે એક પુત્ર હતું. એક વખતે કઈ પર્વને દિવસ આ તે વખતે ગામમાં ઘેર ઘેર સારા ભેજન થતાં જે તે સ્થાવરે પિતાની માતા પાસે તેવા ભેજનની માગણી કરી. વૃદ્ધ માતાએ કહ્યું, “વત્સ, દ્રવ્ય વગર સારું ભજન કયાંથી થાય? તેથી હે પુત્ર, સદા સંતોષ પામીને રહે.” માતાએ આ પ્રમાણે કહ્યું તે પણ બાલપણાને લઈને તે પુત્રે આગ્રહ કરવા માટે, ત્યારે તે વૃદ્ધ સ્ત્રી રૂદન કરવા લાગી. કારણ કે, સ્ત્રીઓનો એવો સ્વભાવ હોય છે. તેણીનું રૂદન સાંભળી બે પડોશણે તેની પાસે આવી અને રોવાનું કારણ જાણી તેઓ બંને પણ દુઃખ પામી, પછી એક પડોશણ બેલી, હે શુભે, મારા ઘરમાં ઉચી જાતનું અન્ન છે તે તે ગ્રહણ કરે.” બીજી બોલી, “મારે ઘેર ઘણું ઘી છે, તે .” આ પ્રમાણે કહી તેઓ બંને પોતપોતાને ઘેર આવી અને તત્કાળ તેમણે પિતાની જાતે તે બાળકને માટે ઊંચી જાતનું ધાન્ય અને શ્રેષ્ઠ જાતનું ઘી હર્ષથી લાવી આપ્યું. તે જે તે દ્રવ્યના લાભ વગરની વૃદ્ધ માતાનું ચિત્ત જરા હર્ષિત થયું અને તેણએ પિતાના પુત્રને માટે તેનું પકવાન્ન બનાવ્યું. પુત્ર સ્થાવર તે પકવાશ જમવાને જોવામાં બેસતા હતા, તેવામાં કોઈ માપવાસ મુનિ પારણાને માટે તેને ઘેર આવી ચડ્યા. તે બાળકે મુનિને જોઈ આ પ્રમાણે દયમાં ચિતયું, “અરે ! મારે આવું ભેજન કયાંથી? અને આવા મુનિ પણ કયાંથી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy