SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમલનાથ ચરિત્ર. વચ્ચે પાછી પ્રીતિ થાય છે. જો કેઇની સાથે ખેતરમાં અર્ધો ભાગ કરીએ, તે તેમાંથી પામાસિકી વઢવાડ થાય છે. જ્યારે ખેતરમાંથી ધાન્ય લઇ લેવામાં આવે ત્યારે પુનઃ બંનેની વચ્ચે પ્રીતિ થઈ જાય છે. હે રાજા, જે કઈ કામ અર્થે પદ્ધ સાથે લેવામાં આવે તો તે બંનેની વચ્ચે જ્યાં સુધી વર્ષ ચાલે ત્યાં સુધી વાર્ષિકી વઢવાડ ચાલે છે. હું રાજા, બંને સપત્ની શક્ય) વચ્ચે જે વઢવાડ હોય છે, તે યાજજીવિકાજીવે ત્યાં સુધી ચાલે તેવી હોય છે.” કજીયાના આ ચાર પ્રકાર સાંભળી રાજા ચમકાર પામી ગયે. પછી તે વધૂની બુદ્ધિથી રાજી થયેલા તેણે પુણ્યસિંહ શેઠનો તેની પુત્રવધૂ સાથે વાલંકારોથી સત્કાર કરી તેમને ઘેર મોકલ્યા. એમ વધૂએ તે ઘાસ તથા પાણી સેઢીનાજ ગળા ઉપર મૂકાવ્યાં. પછી રાજાએ તે સોઢીને બાંધીને પોતાના દેશમાંથી બાહેર કાઢી મૂકી.” યમઘંટા કહે છે “ આ ઉપરથી સમજવાનું છે કે, જેમ શેઢી વાચાળ હતી, તે પણ તેણીને તે વણિક વધુએ ઘડી વાણીથી જીતી લીધી, તેમ તે મુસાફર તમોને કી વાણીથી જીતી લેશે એમાં કઈ જાતને સંશય રાખશો નહીં.” આ પ્રમાણે યમઘંટાના વચન સાંભળી તે ચારે ધૂર્ત વણિકો માન સહિત તિપિતાને ઠેકાણે ચાલતા થયા. કુમાર રત્નચૂકે સ્ત્રી ગુરૂના વાક્યની જેમ તે બધું હૃદયમાં ધારણ કરી લીધું. પછી રત્નચંડ ત્યાંથી ઉડી રણઘંટા સાથે તેણીને મંદિર આવ્યા અને ત્યાં રણઘંટાની રજા લઇ તે પિતાના સ્થાનમાં આવ્યો. ત્યાં નિશ્ચિત હૃદયે તેણે નિદ્રા લીધી. પછી પ્રાતઃકાળે પેલા બધા ધૂર્ત જેને આવ્યા, તેમને રત્નચંડે સામવાથી ઘણીવાર સમજાવવા માંડ્યા: તથાપિ તેઓ સમજ્યા નહીં. એટલે તેઓને લઈ રત્નડ રાજસભામાં આવ્યું. રત્ન ચૂડને બત્રીશ લક્ષણવાળ જોઈ રાજા વિસ્મય પામી ગયે. પુરૂષનાં બત્રીશ લક્ષણે. જે પુરૂષ શરે ત્રણ અંગોમાં વિશાળ, ત્રણમાં ગંભીર છે અંગમાં ઊંચા, ચારમાં ટુંકે, સાતમાં તો અને પાંચમાં લાબ તથા સૂકમ હોય, તે પુરુષ બત્રીશ લક્ષણવાળે રાજારૂપ ગણાય છે. પુરૂષની છાતી, મુખ અને લલાટ-એ ત્રણ વિશાળ હોય તે વખણાય છે. નાભિ, સત્વ અને વર-એ ત્રણ ગંભીર હોય તે વખાણવા યોગ્ય છે. કંડ, પ્રણ, લિંગ અને એ જંઘાએ ચાર જે પુરૂષના ટૂંકા હોય, તે પુરૂષ હંમેશા પુજાય છે. જેમના આંગળીના પર્વ ( અગ્રભાગ) કેશ, નખ, દાંત અને ત્વચા-એ પાંચ jમ હોય તે મનુષ્ય દીર્ઘજીવી ( લાંબી આવરદાવાળા) થાય છે. જે પુરૂષને એ સ્તનને તથા બે નેનો મધ્યભાગ, બને ભુજ (હાથ), નાસિકા અને હડપચી ૧ કંન્ટ્રાક્ટ-કંતર.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy