SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ દાન દેવા ઉપર રત્નચૂડકુમારની કથા. રાજાએ આ પ્રમાણે ચિંતવ્યું, “આ પ્રતિષ્ઠાનપુરમાં આ વઢકણે સ્ત્રીને યોગ્ય એવું કેઈ હશે ખરું, પણ વઢવાડ કરવા માટે કેઈને કહી શકાય નહીં, તેથી જે નગરમાં પડો વગાડવામાં આવે, તો તેને શબ્દ સાંભળીને નાટયમાં કુશળ એવા નટની જેમ કઈ પ્રત્યક્ષ થઈ બહેર આવશે.” આવું વિચારી રાજાએ આજ્ઞા કરી, એટલે પટહ વાગ્યે અને તે વાતે વાગતો પુથસિંહ નામના કે વેપારીના દ્વાર આગળ આવ્યું. પટને વૃત્તાંત જાણ તે પુણ્યસિંહ વેપારીની પુત્રવધૂએ તરતજ તે પહને સ્પર્શ કર્યો. જેથી પડે વગાડનારા પુરૂએ તે વાત રાજાને જાહેર કરી. તે સાંભળી રાજા ખુશી થઈ ગયે. તરતજ તેણે પુણ્યસિંહ શેઠને રૂબરૂ બોલાવી મધુર વાણીથી કહ્યું, “શેઠ, તમારી વધુ પરહને સ્પર્શ કર્યો છે, તો તેણીને અહિં વઢવાને માટે બેલા.” પુણ્યસિંહ શેઠે કહ્યું, “સ્વામી, આ શું કહે છે? મારી પુત્રવધૂ તે ઉચે સ્વરે બેલી પણ જાણતી નથી. કેઈએ આપને નિ છેટું જ જાહેર કર્યું છે.” રાજાએ કહ્યું, “શેઠ, જે તમને મારા વચન ઉપર પ્રતીતિ ન હોય, તો હમણા ઘેર જઈ તમારી પુત્રવધૂને પૂછે અને પછી તેને અહિં લાવે.” પછી પુણ્યસિંહ શેઠ ઘેર આવ્યા અને તેણે પોતાની પુત્રવધૂને રાજાના કહેવા પ્રમાણે પૂછયું, ત્યારે તેણીએ તે કબુલ કર્યું. તે સાંભળી પુણ્યસિંહ બો, “વસે, તે અનર્થ કરનારા રાજાના પટને સ્પર્શ કેમ કર્યો?” વધૂ બેલી, એથી જરા પણ અનર્થ થશે નહિં.” પછી પુણ્યસિંહ શેઠ પિતાની પુત્રવધૂને લઈ રાજસભામાં આવ્યું. રાજાએ તેણીને પૂછ્યું કે, “તું આ કજીયાખોર સેઢીની સાથે વાદથી વઢી શકીશ ?” તે વધૂ શાંત સ્વરે બોલી, “મહારાજા, આપ પ્રથમ આ સ્ત્રીને છે કે, “કજીયાના કેટલા ભેદ છે અને તે કજીયાની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? ” પછી રાજાએ તેવી રીતે રહીને પુછયું એટલે સદી બોલી કે, “ આવા વિકલ્પની વાત તે મેં પુર્વ સાંભળી જ નથી. હવે હું હારી ગઈ. હવે આપ તે કજીયાના પ્રકારનું ગૂઢ ત્વ તેની પાસે કહેવરાવે.” પછી રાજાએ આજ્ઞા કરી, એટલે તે વણિક વધૂએ કજીયાના પ્રકાર વિષે વિસ્તારથી કહેવા માંડ્યું, “પ્રથમ કલહ-વઢવાડ ચાર પ્રકારની છે. એક દેવગિકી એક દિવસ પહોંચે તેવી છે. બીજી બામાસિકી (છ માસ સુધી ચાલે તેવી), ત્રીજી વાર્ષિકી (એક વર્ષ સુધી ચાલે તેવી અને ચોથી યાવાજજીવિકા ( જીવે ત્યાંસુધી ચાલે તેવી છે. આ સંસારમાં તે ચતુર્વિધ વઢવાડની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, તે તમારા હૃદયને સંદેહ દૂર કરવા કહું છું, તે સાંભળે –“હે રાજા, જે એક સાથે ગાડાનું ભાડું કરીએ, તેમાંથી જે વઢવાડ થાય, તો તે એક દિવસ સુધી ચાલે છે એટલે તે દેવસિક કહેવાય છે. તે ગાડામાં બેઠેલી એક સ્ત્રી કહેશે કે, “તેં એક પગ લેબે કર્યો છે, ત્યારે બીજી કહેશે કે, તે બધું ગાડું રોકી પાડ્યું છે. આ પ્રમાણે રસ્તામાં જ થાય છે અને જ્યારે તે બંને ઠેકાણે પહોંચે છે, ત્યારે પુનઃ તેઓની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy