SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિમલનાથ ચરિત્ર, આગળ માની જણ બહેન કહીને બોલાવે છે, પણ ધૂર્તના લક્ષણેથી મેં તને ઓળખી લીધી છે કે તું ગાયના મુખવાળી વાઘેણ છે. તારી જેમ અમે પણ શું દંભ નથી શીખ્યા? અરે મૂઢા, પ્રથમ મને ગાળથી વઢીને હવે ખમાવવાને આવે છે, તે તું પહેલાં પાણી પીને પછી ઘર પૂછે છે.” આવાં મલિન વચનેથી સેઢીએ તેની સાથે વારંવાર વઢવાડ કરવા માંડી. એટલે તે મહેમાન સ્ત્રીએ પિતાના હૃદયમાં આ પ્રમાણે વિચાર્યું, “આ સ્ત્રી અમિને ભડકો જોઈ ભડકેલી ગધેડીની જેમ પ્રવર્તે છે. તે ગધે આગળ દાંતથી કરડે છે અને પછવાડે પગથી પાટુ મારે છે. તેથી આ બાઈના મુખમાં તો જે વિષ્ટાએ ભરેલું સળગતું ઉંબાડીયું નાખ્યું હોય, તે તેથી તે પ્રથમ બળે અને પછી વિષ્ટાથી લીંપાય. આ લાજ વગરની બાઈની સાથે કજી કરી શકાય તેમ નથી. લેકે ભાંડથી બીતા નથી, પણ ભાંડના ચરિત્રથી બીવે છે. કજીયે શમાવવા માટે આ સ્ત્રીને જે શાંતિનું વચન કહીએ છીએ, તે વચન તો એને ઉલટું તપેલા ઘીમાં પાણી નાખ્યા જેવું થાય છે. તેને માટે કહ્યું છે કે, “કોધી માણસને જે શાંતિનાં વચને કહેવામાં આવે, તે તપેલા ઘીમાં નાખેલા જળના બિંદુની જેમ ઉલટા કંધને ઉદ્દીપન કરનારાં થાય છે.” તેથી મુનિની જેમ મૌન ધરીને રહેવું સારું છે.” આ પ્રમાણે વિચારી તે સ્ત્રી મનમાં કચવાઈને મૌન ધરી બેસી રહી. પિલી સેઢી લાંબે વખત કુતરીની જેમ ભસી ભસતી પોતાની મેળે શાંત થઈ ગઈ. ઈધણું વગરને અગ્નિ એની મેળેજ શમી જાય છે. ત્યારથી તે દેશમાં કોઈ પણ તે વઢકણ સોઢીને બોલાવતું નહી, તેથી શરીરે જાણે કચાના ફળ લગાડ્યા હોય, તેમ તેને વઢવાડ વિના ચેન પડતું નહીં. જાણે અરૂચિને રેગ થયે હય, તેમ કજીયા વિના તેણીને ખોરાકમાં સ્વાદ આવતો નહીં અને જાણે મોટો રોગ થયો હોય, તેમ રાત્રે નિદ્રા પણ આવતી નહીં. એક વખતે તે સેઢી બળદ ઉપર ચી મહારાષ્ટ્ર દેશમાં પ્રખ્યાત અને તેણીના સ્વભાવથી અજાણ્યા એવા પ્રતિષ્ઠાનપુરમાં ગઈ. ત્યાં રાજદ્વારમાં બળદને ઘાસ અને જળ મૂકી રાજાની પાસે આવી તેણીએ આ પ્રમાણે કહ્યું, “હું કજીયાખેર સેઢીના નામથી ઓળખાઉં છું. બીજા સર્વ દેશમાં કલેહ કરવામાં કુશળ એવા સર્વ જનેને મેં જીતી લીધા છે. હવે આ નગરને વીરક્ષેત્ર જાણીને હું કછ કરવા આવી છું. તમારા નગરમાં જે કંઈ કજીયે કરવામાં શક્તિમાન હેય, તો તે આ સભાસ્થાનમાં મારી સાથે કયો કરવા આવે. જો કે તેવું ન હોય, તો તમે બધા ઘાસને આહાર કરી અત્યંત પાણી પીનારા છે, અર્થાત્ પશુ જેવા છે, એમ સમજવું.” સેઢીના આ વચને સાંભળી ૧ કચાના ફળ શરીરે લાગવાથી ચટપટી ઉપડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy