________________
દાન દેવા ઉપર રત્નચૂડની કથા. આ પ્રમાણે સુબુદ્ધિ મંત્રી પિતાના રાજાના ત્રણ સંતાનની સારી આજીવિકા , કરી સુખી થયો.
એક વખતે તે મંત્રી રાત્રે નિદ્રાવશ થઈ સુતા હતા. તેવામાં વિધિએ તેને જાગ્રત કર્યો. તે જાગ્રત થયે તો પણ તેણે જ્યારે કાંઈ ઉત્તર ન આપે, ત્યારે વિધિએ કહ્યું, “અરે ! તને હાલ આવી ગાઢ નિદ્રા કેમ આવી છે?” તે બે, “હમણાં હું નિશ્ચિત હૃદયવાળે થયો છું, તેથી સુઈ ગયે. હે સુંદર, તમે કેણ છો અને શા માટે અહિં આવ્યા છે?” તેણે કહ્યું, “હે ભદ્ર, મને મહાન વિધાતા સમજી લે. હું અત્યારે તારી બુદ્ધિના બંધનમાંથી મુક્ત થવાને આવ્યો છું.” મંત્રી સુબુદ્ધિ બે, “તમારા કહેવા પ્રમાણે મારા રાજાના બાળકને ભલે ફળ મળે. ” વિધિએ કહ્યું, “તે ખરૂં છે, પણ મારે તેમને માટે હાથી વિગેરે બનાવી દેવાનું શી રીતે કર્યા કરવું?” મંત્રીએ કહ્યું, જ્યારે તમે અમને રાજ્ય આપશે, ત્યારે તે સંકટમાંથી તમારે મેક્ષ ( છુટકારે) થશે, તે સિવાય કદિ પણ નહીં થાય.” વિધિઓ જણાવ્યું, “તું પેલા મોટા રાજકુમારની પાસે જા અને તેને પ્રાપ્ત થયેલા મુક્તાફળને સમૂહ વેચીને તેમાંથી એક સૈન્ય ઉભું કર્યું. હાથી, ઘોડા, રથ અને દિલએમ ચતુરંગ સેના લઈ તારા નગરમાં લઈ જઈ તે શત્રુઓને સદ્ય નસાડી મૂકી પુનઃ તારા રાજ્યને ગ્રહણ કર્યા. ” વિધિએ કહેલાં આ વચન સાંભળી મંત્રી સુબુદ્ધિ હૃદચમાં હર્ષ પામે અને તેણે તે પ્રમાણે કરી પુનઃ રાજ્યને પ્રાપ્ત કર્યું. પછી ત્યાં સ્વજન વિગેરે સર્વે એકઠા મળ્યા. તેઓએ મળી રાજાના મેટા કુમારને રાજ્ય ઉપર પટ્ટાભિષેક કર્યો. એમ તેણે સુબુદ્ધિ મંત્રીની બુદ્ધિથી લાંબે વખત રાજ્ય કર્યું.
યમઘંટા કહે છે, “હે જુગારી, એવી રીતે બુદ્ધિમાન પુરૂ વિધિની લક્ષ્મીને પણ બળાત્કારે લઈ શકે છે, તો પછી તું શા હીસાબમાં ? તારું દ્રવ્ય ગયું જ છે. વળી દેવે તારું એક નેત્ર પહેલાં હરી લીધું છે અને આવી તારી ધૂત્તબુદ્ધિથી તારૂં બીજું નેત્ર પણ જશે.” જુગારી બોલ્યો, “હવે મારું બીજું નેત્ર શી રીતે જશે?” યમઘંટા બોલી, “તે માણસ એમ કહેશે કે, તેં જેવી રીતે મારે ઘેર એક નેત્ર ઘરાણે મૂકયું છે તેવાં બીજાં ઘણાં નેત્રો મારે ત્યાં ઘરાણે મૂકાયેલાં છે, તો તારું આ બીજું નેત્ર મને આપ, કે જે હું તેની સાથે તાળી અને મેળવીને તને તારૂં તે નેત્ર સેંપી દઉં.” તેથી મારે કહેવું પડે છે કે, આ તારી બેટી પેજના વૃથા થવાની છે.” તે પછી “ યમઘંટાની આ બુદ્ધિ સત્ય નથી.” એમ માનતા તે જુગારી ચાલ્યા ગયે.
તે અરસામાં પિલા ચાર ધૂર્ત વણિકે સત્વર ત્યાં આવ્યા. તેમને પણ યમઘેટાએ પૂર્વની જેમ પૂછયું, એટલે તેઓએ તે મુસાફરની સર્વ હકીકત નિવેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org