SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિમળનાથ ચરિત્ર, - ળમાંથી મુક્તાફળ લઈ તે બંને ઘેર આવ્યા. સુબુદ્ધિ મંત્રીએ તે મુક્તાફળમાંથી એક મુક્તાફળ વેચ્યું અને તેના દ્રવ્યથી સારું ભજન અને વસ્ત્રો ખરીદ કર્યા. બીજે દિવસે પણ તે રાજકુમારે અગાઉની જેમ વૃદ્ધ હાથીને મારી નાખે. પછી સુબુદ્ધિ મંત્રીએ કહ્યું, “હે વત્સ, હું તારા બંધને શોધવા શહેર વિગેરેમાં જાઉં છું, તારે અહિં રહીને હમેશાં તેવા હાથીને શિકાર કરી નિર્વાહ કરે.” - પછી સુબુદ્ધિ મંત્રી પૃથ્વીમાં ફરવા લાગ્યા. ત્યાં કેઈ નગરમાં સાથે એક બળદ રાખી ઘાસને માટે જતાં રસ્તામાં પેલા બીજા રાજકુમારને છે. તે પછી વિધિપૂર્વક પરસ્પર વાર્તાલાપ કરી-ઓળખી ઘેર જઈ સુબુદ્ધિ મંત્રીએ તેને આદરથી આ પ્રમાણે કહ્યું, “વત્સ, આ બળદને વેચી તેના દ્રવ્યથી ઘેબર સહિત ભાત-દાળ વિગેરે સારૂં ભેજન ઘરમાં લાવ.મંત્રીનું આ વચન સાંભળી રાજકુમારે પિતાના હૃદયમાં આ પ્રમાણે વિચાર્યું. “આ મંત્રી ઉંચી જાતનું ભેજન ખાઈને ક્યાંઈ ચાલ્યા જશે. પણ બળદ વગર મારે શિર બોજો ઉપાડવાનું આવી પડશે. મેહેમાને પારકી પીડા જાણતા નથી. એ સત્ય છે. કહ્યું છે કે, “ચેર, બાળકે, દુર્જનવૈદ્ય બ્રાહ્મણ, મેહેમાન, નાચનારી, ધૂર્ત અને રાજા પારકી પીડા જાણતા નથી.” તથાપિ આ પુરૂષનું વચન મારે ઉલ્લંઘન કરવું ન જોઈએ. કારણ કે, તે એક રીતે શ્રેષ્ઠ મંત્રી છે અને વળી બીજી રીતે આજે મારે ઘેર એ અભ્યાગત (પ -મહેમાન) થઈને આવેલ છે.” આ પ્રમાણે વિચારી તે રાજકુમારે તેના કહેવા પ્રમાણે બધું કર્યું. એટલે તે બળદ વેચી દીધે. બીજે દિવસે તેજ બળદને પિતાના ઘેર આવેલ જેમાં રાજકુમાર વિસ્મય પામી ગયો. તે મુગ્ધ બુદ્ધિવાળા કુમારે મંત્રીને તે વાત જણાવી. એટલે મંત્રીએ કહ્યું કે, “આ બળદને વેચી ઘે. ” રાજકુમારે તે પ્રમાણે કર્યું. પછી મંત્રીએ તેને આ પ્રમાણે શિક્ષા આપી, “વત્સ જે બળદ અહિં આવે તેને તમારે વેચી દે.” રાજકુમારે તેમ કરવાનું કબૂલ કર્યું. તે પછી મંત્રી પિલી રાજકુમારીની તપાસ કરવાને ગયે. કેઈ વેશ્યાઓના ઘરની શ્રેણીમાં તે રાજકુમારી તેના જેવામાં આવી. તેણુનું સ્વરૂપ સારી રીતે જાણું મંત્રીએ કહ્યું, “હે વત્સ, તું કોણ છે અને કેની પુત્રી છે? તેણીએ કહ્યું “ હું રાજાની પુત્રી છું. કેઈ કર્મવેગે શત્રુના સુભટોએ મને પકડીને વેચતાં આ વેશ્યા એ મને હર્ષથી ખરીદી છે, તેથી હું આવી બની ગઈ છું. તો પણ મને એકજ મહાદુર્ભાગી પુરૂષ પ્રાપ્ત થાય છે. ” એટલે “આ રાજપુત્રી છે. એ નિશ્ચય કરી સુબુદ્ધિમંત્રીએ તેને આ પ્રમાણે શિક્ષા આપી. “હે વત્સ જે પુરૂષ લક્ષદ્રવ્ય આપે હારે ઘરમાં દાખલ કર.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy