SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ દાન દેવા ઉપર રત્નચૂડકુમારની કથા. ૧ ચંદ્રને સેવકે ચેડા હતા, તેથી તે લાંબેાકાળ યુદ્ધ કરી ધારાતી ને વશ થઇ એકલા ૫ચત્વને પ્રાપ્ત થયા. તે કાળે અને રાજકુમારે મંત્રી અને કેટલાએક નગરજના જીવ લઇને ચારે દિશામાં નાશી ગયા. તેવામાં ઉચ્છ ખળ માણસે એ આળપણાને લીધે રાજપુત્રીને પકડી લીધી અને કોઇ બીજા નગરમાં જઈ જાહેરમાર્ગે તેણીને વેચવા મૂકી. અતિ અદ્ભુતરૂપવાળી તે રાજપુત્રીને દેખી એક વેશ્યાએ ઘણું ધન આપી તેણીને આગ્રહથી ખરીદ કરી. પેલા નાશી ગયેલા અને રાજકુમારે શિકારી અને કાળીના જેવાં કમ કરનારા થઈ પડયા. માણસા દુ:ખે પૂરાય એવું ઉદર ભરવાને માટે શું નથી કરતા ? કહ્યું છે કે દુઃખે પુરાય તેવા ઉત્તરને પુરવા માટે માણસ શું શું નથી કરેતા ? તેને માટે તે માન છેડી દે છે, શત્રુને સેવે છે, દીન વચન બેલે છે, કાર્યાકાના વિચાર કરતા નથી, નહારા કામની ઉપેક્ષા કરતા નથી, ભાંડાઈ કરે છે અને નાચવાની કળાનેા પણ અભ્યાસ કરે છે. ” તે પછી કેટલેક દિવસે સુબુદ્ધિમંત્રીએ પેાતાના સવ કુટુબને મેળવી હૃદયમાં આ પ્રમાણે ચિંતળ્યું કે, “ હવે મારે અને રાજકુમાર અને << રાજકુમારીની શેાધ કરવી ઘટે છે અને તેને માટે ચેાગ્ય ઉપાય લેવા જોઇએ. ” આવું ચિંતવી પેાતાના કુટુંબને કોઇ ઉત્તમ નગરમાં રાખી તે શહેરા, ગામડાઓ, દ્રોણા, ખેડુતાના ગામે અને કસ્બાઓમાં ફરવા લાગ્યા. એક વખતે તે કઈ નગરમાં ગયા. ત્યાં જીણુ વસ્ત્ર ધરનાર અને દુળ શરીરવાળા જયેષ્ઠ રાજકુમારને દેખી તે સુખી તથા દુઃખી બની ગયા. તે કુમાર પણ તેને જોઈ લજ્જાથી નમ્રમુખ થઇ ગયેા. પછી સુબુદ્ધિમંત્રી તેની પાસે આવીને એલ્યુ, “ હે રાજપુત્ર, તમારી આવી દુરાવસ્થા કેમ થઈ ગઈ ?” તે એલ્ચા, “ દૈવયોગે મારી બુદ્ધિ મૂઢ બની ગઇ અને તેથી મેં બીજા બધાં કામ છેડી શિકારીનું કામ કરવા માંડયું. ધ્રુવ ઘણું મળવાનુ છે. તેમાં પણ હું હુંમેશાં દિવસે એક જીવ મારૂ છુ, બીજો . જીવ મારતા નથી. તે કર્યાંથી મારી આવી વિષમ દુરાવસ્થા થઈ છે. પછી બીજે દિવસે મત્રી સુબુદ્ધિ તેની સાથે ખાહેર ગયા. તેવામાં તે રાજકુમાર એક શશલાને જોઈ તેની ઉપર ખાણ છેડવાને તૈયાર થયા. મંત્રીએ તેને અટકાવ્યે. તેવામાં અતિ પ્રૌઢ એવા હરિણુ વિગેરે તેના જોવામાં આવ્યા, એટલે પુનઃ તેમને મારવાને તે તૈયાર થયેા. મંત્રીએ તેને ફરી પણ અટકાવ્યેા. એવી રીતે જ્યારે જ્યારે તે હિંસા કરવા તૈયાર થતા, ત્યારે ત્યારે મંત્રીએ તેને અટકાવ્યેા. એમ કરતાં સધ્યાકાળ થયા. એટલે ત્યાં એક હાથીઓનુ યુથ ( ટાળુ ) આવી ચડયું. તે જોઈ સુબુદ્ધિ મત્રીએ તેને કહ્યું કે, “આ હાથીઓમાં જે વૃદ્ધ હાથી હાય, તેને પાડી દે” તેણે પેાતાના અમેઘર ખાણથી પ્રથમ તે વૃદ્ધ હસ્તીને મારી નાંખ્યા. પછી તે હાથીના કુંભસ્થ ૧ ધારાતી-ખની ધાર. ૨ દિ ખાલી ન જાય તેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy