SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ દાન દેવા ઉપર રત્નચૂકમારની કથા. વાંછાથી ઉલટે મૂળમાંથી જ વિનાશ થશે. તેવી રીતે સોમશર્માના પિતાને થયું હતું.' તેણે પુછયું, “તે મશર્મા કોણ હતા? અને તેના પિતાને મૂળમાંથી નાશ શી રીતે થયે? ” યમઘંટા બોલી–તે દષ્ટાંત કહું તે સાંભળ. સોમશર્માના પિતાની કથા. પુર્વે એક મોટા ગામમાં ખુશામતીઆ વચન બેલનારે એક બટુક બ્રાહ્મણ ફરતા હતું. એક વખતે નવા સાથવાના પર્વને દિવસે તેને ઘણે સાથો પ્રાપ્ત થશે. તે ઘણે સાથ લઈ સાયંકાળે કેઈ કુભારને ઘેર ગયે. ત્યાં તે સાથવાનો એક ઘડો ભરીને પોતે સુઈ ગ. તેણે સુતા સુતા વિચાર કર્યો કે, “આટલે બધે સાથ વેચીને હું એક કુકડી લઇશ. તે કુકડીને થોડા વખતમાં ઘણાં બચ્ચાંઓ ઉત્પન્ન થશે. પછી તે બચ્ચાંઓ વેચીને એક ગાય લઈશ. તે ગાયને વાછડાંઓ થશે, તે વેચીને એક ઘી લઈશ, તે ઘડીમાંથી મારે ઘણા ઘોડાઓ થશે, પછી તે બધા ઘોડાઓને વેચવાથી મને ઘણું દ્રવ્ય પ્રાપ્ત થશે. તે દ્રવ્યવડે હર્ષ આપે તેવું એક સુંદર ઘર કરાવીશ. પછી શુદ્ધ બ્રાહ્મણના વંશમાં ઉત્પન્ન થયેલી રુકિમણું નામની કન્યાને પરણી તેણની સાથે ઉત્સાહથી વિષયસુખ ભોગવીશ. ત્યારબાદ કઈ સારા પુણ્યયોગે મને શ્રેષ્ઠ પુત્ર ઉત્પન્ન થશે. તે પુત્રનું નામ ઉત્સવ સહિત મશર્મા પાડીશ. તે કાળે ઘોડાના કય-વિજયના વેપારને લઈને મને રાજાનું માન મળશે. તેને લઈને લોકો પણ મારી ભક્તિ કરશે. આવી રીતે બધે કાળ સુખમય થતાં કે ઇવાર મારા પ્રિય બાળક સેમશર્માને તે જોઈ હું મારી પ્રિયાને કહીશ કે, અરે આ બાળકને કેમ રેવરાવે છે? ત્યારે તેણે મને આ પ્રમાણે કહેશે કે, “જે એ બાળક તમને વ્હાલે હય, તે હાલ તમે જ તેને રાખો.” તેણીના આવા વચન સાંભળી મને જરૂર કેધ ઉત્પન્ન થશે. પછી હું મારી પ્રિયાને પગની પાટુ મારીશ. તે દુષ્ટબુદ્ધિવાળા બટુકે પ્રથમના બધા મને ચિત્તમાં જ ચિંતવ્યા પણ જે સ્ત્રીને પગની પાટુ મારવાનું હતું, તે તેણે પ્રત્યક્ષ કરી બતાવ્યું, તેથી પેલા સાથવાના ભરેલા ઘડાના સો કડક થઈ ગયા. તેમાંથી કેટલાએક સાથે પવને ઉડાવી દીધો. અને કેટલાએક ભસ્મરૂપ થઈ પૃથ્વીની રક્ષા ( રાખ) માં પડે. એવી રીતે તેનો બધો સાથ લોભના મૂળને લીધે સમૂળગે નાશ પામી ગયે. હે કારીગર ! તારી પણ એ બે પાદુકા હવે જવાની જ સમજજે કારણ કે, તને તે બંને પાદુકા ઉપર ઘણે લેભ થયેલો છે. ” વેશ્યા ચમઘંટાનાં આ વચને સાંભળી તે કારીગર બે —જે તે મને ખુશી કરીને મારી પાદુકા લેશે તો મને ઘણું લાભ થશે.” યમઘંટા બેલી, “અરે ! તે માણસ હમણા તે તને એક જ વાકયથી ખુશી કરશે. કારણ કે-હાલ આપણા અન્યાય રાજાને ઘેર પુત્રને જન્મ થાય છે. એટલે તે માણસ તને એટલું જ પૂછશે કે, “રાજાને ઘેર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy