________________
પ૮
શ્રીવિમળનાથ ચરિત્ર, છે, ” પછી ત્રીજે પહોરે પણ તે રેહક પ્રથમની જેમ સુઈ ગયો. રાજાએ તેને વિશ્વની ઝાપટ મારી જગાડે, તે વખતે તેણે ચિંતાનું કારણ પૂછતાં કહ્યું કે, “હે રાજેંદ્ર ખટાશને દેખી ઉજવળ દાઢમાંથી પાણી છુટે છે, તેનું શું કારણ હશે?” રાજાએ કહ્યું, “તેનું કારણ તું પિતે જ કહે.” હકે કહ્યું, “ દાઢ દૂધમાંથી ઉત્પન્ન થએલી છે, તેથી તે ખટાશને જોઈને જળ છેડે છે.” એવી રીતે ચોથે પહોરે પણ રેહકને નિદ્રા આવી. રાજાએ તેને શબ્દથી તર છોડીને જગાડ. પછી ચિંતાનું કારણ પૂછતાં રેહક બે, “હે રાજા, તમારે કેટલા બાપ છે,? તે વિષે મને ચિંતા થાય છે.” તે સાંભળી રાજા બેદાતુર થઈ બોલ્યો, “અરે! આ શું બોલે છે?” રેહક બેલ્યો, “હે રાજા, તમારે પાંચ બાપ છે. જો તમે ખાટું માનતા હે, તે તે વિષે તમારી માતા જ પ્રમાણરૂપ છે.” રાજાએ પૂછ્યું, તે પિતાઓ ક્યા? ત્યારે રેહક બે, “પહેલો કુંભાર, બીજે વીંછી, ત્રીજે ધોબી અને ચે અશ્વશાળાને પાળક.” પછી રાજાએ જઈને પોતાની માતાને પૂછયું કે, “મારે કેટલા બાપ છે, તે કહે.” રાજમાતા બને કાને હાથ દઈને બોલી, “વત્સ, તે આ શું કહ્યું? જગતમાં માન્ય એવા તારે એક જ પિતા હતા.” માતાએ આ પ્રમાણે કહ્યું, તે પણ રાજાએ કદાગ્રહ છેડો નહીં, એટલે તેને ણીએ તેને કહ્યું કે, “તુસ્નાન ર્યા પછી મને કુંભકાર વિગેરેનું દર્શન થયું હતું. આ સાંભળી તે ચમત્કાર પામ્યો. પછી તેણે પુનઃ આવીને રેહકને પૂછયું કે, “તેં એ શી રીતે જાણ્યું?” રેહકે કહ્યું કે, તમેએ ચારે પહોરે મને લાત વિગેરે મારીને જગાડે, તે ઉપરથી મેં તે ચારેનું અનુમાન કર્યું. કપાળની જેમ ઉત્તમ, સર્વ દિશાઓના સ્વામી અને પૃથ્વી ઉપર પ્રખ્યાત એવા શ્રી જિતશત્રુ રાજા તે તમારા પાંચમા પિતા હતા.” હકના આ વચન સાંભળી રાજાએ તે હકને પિતાના સર્વ મંત્રિઓમાં મુખ્ય મંત્રી બનાવ્યો અને રાજ્યની સર્વ ચિંતા તેની ઉપર આરેપિત કરી, મંત્રી
હકની બુદ્ધિના બળથી તે રાજાએ મોટા પ્રઢ રાજાઓને પણ સહેલાઈથી સાધ્ય કરી લીધા તેથી શાર્થના કરતાં પણ બુદ્ધિનું બળ શ્રેષ્ઠ છે.
વેશ્યા યમઘંટા કહે છે. “આ દષ્ટાંત પ્રમાણે કેટલાએક બાળકે પણ બુદ્ધિના બળવાળા થાય છે. તેથી તમારે બાળકમાં મુગ્ધતા હોય, એમ એકાંતે માનવું નહિં.' આ પ્રમાણે વેશ્યા યમઘંટાના વચન સાંભળી તે ચારે ધૂતારાઓ જેવામાં ઉઠીને ચાલતા થયા તેવામાં જ પેલે પાદુકા કરનાર કારીગર ત્યાં હર્ષ પામતે આવ્યું. યમઘંટાએ પૂર્વની જેમ તેને પૂછયું. એટલે તેણે પિતાને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. પછી યમઘંટા બોલી કે, “તને તે લાભ થયો દેખાતો જ નથી.” તે કારીગરે કહ્યું, “મને તો આમાં ઘણો લાભ થશે. કારણ કે, તેનું સર્વસ્વ ગ્રહણ કરવાથી મને તો હર્ષ જ થવાનો.” યમઘંટા બેલી, “તારા જેવા હીનજાતિના માણસને આવી વધારે પડતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org