SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ દાન દેવા ઉપર રત્નચૂડકુમારની કથા, ૫ એક વખતે રાજાએ પરસ્પર વિરૂદ્ધ એવી વ્યવસ્થાવડે રેહકને પિતાની પાસે સત્વર બેલા. તેને કહેવરાવ્યું કે, “તેણે ભુખ્યા આવવું નહીં, તેમ ભજન કરીને પણ આવવું નહીં. તર્યા આવવું નહીં, તેમ જળપાન કરીને પણ આવવું નહીં, મલિન શરીરે આવવું નહીં, તેમ સ્નાન પણ કરીને આવવું નહીં, કેઈ વાહનમાં બેસીને આવવું નહીં, તેમ પગે ચાલીને પણ આવવું નહીં, અમાગે આવવું નહીં, તેમ માર્ગે આવવું નહીં રાત્રે આવવું નહીં, તેમ દિવસે પણ આવવું નહીં, કૃષ્ણપક્ષ કે શુકલપક્ષમાં પણ આવવું નહીં, છાયે કે તડકે પણ આવવું નહીં અને ખાલી હાથે કે હાથમાં ભેટ લઈને પણ આવવું નહીં.” રાજાના માણસ પાસેથી આ સર્વ વચને સાંભળી તે હક શીતળ ફળને સ્વાદ કરી ક્ષુધા અને તૃષાની બાધાથી રહિત થઈ, દૂધ પી, શ્રીખંડચંદન ચળવાથી નિર્મળ બની, ઘેટા ઉપર ચડી બે પગે પૃથ્વીને ચોતરફ સ્પર્શ કરતો જેમાં ચંદ્ર દેખાતે નહી એવી શુકલપક્ષના પડવેને દિવસે સંધ્યાકાળે મસ્તક ઉપર ચાલી રાખી અને હાથમાં મૃરિકા લઈ રાજાની પાસે આવ્યું. તેની આગળ મૃત્તિકા જોઈ રાજાએ પૂછયું કે, “આ શું છે ? હકે કહ્યું. “જેના તમે પતિ છે, તે આ મૃત્તિકા હું ભેટ તરીકે લાવ્યો છું.” પછી રાજા રોહકને લઈ પિતાના વાસગૃહમાં ગયે. ત્યાં ગંગાના તટના જેવી કોમળ શય્યા ઉપર રાજા સુઈ ગયે. પછી રેહક નિદ્રાને પામેલા રાજાના ચરણ ચાંપતો ચાંપતે શાંતપણાને અને બાળપણને લઈને નિદ્રાને આધીન થઈ ગયે. થોડીવાર પછી રાજાએ જાગ્રત થઈ તેને બેલાવા માંડયો તો પણ તે બે નહીં, એટલે તેને લાત મારીને જગાડે. પછી રાજાએ કહ્યું. “તું કેમ સુઈ ગયો હતો?” રેહકે કહ્યું, “હું સુતો જ નથી.” રાજાએ કહ્યું, “ત્યારે તેં મને ઉત્તર કેમ ન આપે?” રાહક . “હું તે વખતે ચિંતાતુર હતો, તેથી મેં ઉત્તર આપે નહિં.” રાજાએ કહ્યું, “તારે શી ચિંતા હતી?” રેહક બે, “હે રાજા, સાંભળો મને એવી ચિંતા થઈ કે, બકરીના ઉદરમાંથી લીંડી નીકળે છે. તે કેણુ બાંધે છે?” રાજાએ કહ્યું, “તેને ખુલાસે તું પિતે જ કર.” રેહક બે, “તે બકરીના ઉદરમાં સંવર્તક નામનો વાયુ છે. તેથી હે રાજા, તેની વિષ્ટા ગોળાકાર થઈ જાય છે.” પછી રાત્રિને બીજે પહેરે પણ પ્રથમના પહોરની જેમ બન્યું એટલે રાજાએ તેને ચુંટી ભરીને જગાડયો. જાગ્રત થયા પછી રાજાએ રેહકને ચિંતાનું કારણ પૂછયું, એટલે રેહક બે, “હાથી કઠાનું આખું ફલ ખાઈ જાય છે અને તે પાછું આખું ને આખું છોડી દે છે, પણ તે ફળની વચ્ચેનો સાર (ગર) પછી દેખાતો નથી. તે કયાં જાતો હશે? એ ચિંતા મારા હૃદયમાં થાય છે.” રાજા બોલ્યો. “તેનું કારણ તે સારી રીતે જાણ્યું છે, માટે તું પિતે જ કહે.” હક , “હાથીના ઉદરમાં રહેલા અગ્નિથી તે સર્વ પચી જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy