SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રીવિમળનાથ ચરિત્ર. રાહકની કથા. ઉજજયિની નગરીની પાસે નટ નામનું એક ગામ છે તેની અંદર કુશીલવ નામે એક નટ રહેતું હતું. તેને પ્રેમવતી નામે સ્ત્રી હતી. તેમને રેહક નામનો એક ભારે બુદ્ધિશાળી પુત્ર હતું. તે રેહક બાળપણાને લઈને સદા વિવિધ જાતની કડા કરતે હતે. તે ભેજન વખતે આવતે, ત્યારે તેની માતા તેને કહેતી કે વત્સ, તું વેલાસર ઘેર આવજે, નહીં તે તને ભેજન આપીશ નહીં, તે પણ તે અસૂર આવ્યા કરતે, તથાપિ છેવટે માતા તેને ભેજન આપતી. એકદા આ સંસારની અનિત્યતાને લઈને તેની માતા મૃત્યુ પામી. ત્યારે તેના પિતા કુશીલ રુકિમણું નામની કન્યાને પરણે. પુર્વની જેમ કીડા કરી અસૂર આવતા રેહકને જોઈ તે અપરમાતાએ પણ તેને તેની સગી માતાની જેમ કહ્યું. રેહક પિતાની સગી માતાના જેવો વિશ્વાસ રાખી પૂર્વની માફક અસૂર આવ્યું, પરંતુ તે અપરમાતા તો ભેજન વેલા વીતી જતાં દ્વાર બંધ કરીને બાહેર ચાલી ગઈ અને તેને ભેજન ન આપ્યું. એવી રીતે તે રેહક બાળકને કઈવાર સવારનું ભોજન અને કેઈવાર સાંજનું ભોજન ન મળવાથી તે શરીરે દુર્બળ થઈ ગયો. એક વખતે તેને દુબળ થયેલે જે તેના પિતાએ પુછયું કે, “વત્સ, શું તુ તારી માતાને સંભારે છે? કે જેથી તું દુર્બળ થયેલે દેખાય છે.” રોહક છે . “હે તાત, સત્ય ભાષણ કરનારી માતા પ્રાપ્ત થતાં હવે અસત્ય ભાષણ કરનારી માતાનું સ્મરણ શી રીતે ઈછાય ?” પિતાએ કહ્યું, “તારી આ માતા સત્ય ભાષણ કરનારી શી રીતે છે ? તે કહે.” રેહક બે , “હે તાત, મારી તે પુર્વની માતા “હું તને ભેજન આપીશ નહીં. એવું કહીને પણ તે મને ભેજન આપતી હતી, તેથી તે અસત્ય બોલનારી હતી અને આ માતા “તને ભેજન નહીં આપું.” એમ કહીને પછી તે મને ભેજન આપતી નથી, તેથી આ માતા સત્ય ભાષણ કરનારી છે.” પુત્રના આ વચન સાંભળી તે કુશીલવ હકને પિતાની સાથે ભેજન કરાવા લાગ્યું. તે પછી તે અપરમાતા સ્નાન માન વિગેરેથી રેહકનો આદર કરતી નહિ. એક વખતે પોતાની અપરમાતાનું અપમાન કરવાને રાત્રે અસૂર આવેલા પિતાને હકે કહ્યું કે, “જુઓ, જુઓ, કેઈ આ પુરૂષ ઘરમાંથી ચાળે જાય છે. ” રેહકનું તે વચન સાંભળી કુશલવ તે નવી સ્ત્રી રુકિમણીની ઉપર રાગરહિત થઈ ગયું. પોતાના પતિ રાગરહિત થવાનું કારણ જાણી તે રૂકિમણીએ રેહકને કહ્યું કે, “હે વત્સ, તું હમણાં મને તારા પિતાનું માન અપાવ્ય.” રેહક છે. જે તું મારી બરાબર બરદાસ કરે, તે હું તને પિતાનું માન અપાવું. તે સિવાય કદિ પણ નહીં.” ત્યારે રુકિમણીએ કહ્યું, “વત્સ, હું તને હંમેશાં દિવસે ત્રણવાર ભેજન આપીશ અને એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy