________________
દાન દેવા ઉપર રત્નચૂડકુમારની કથા
૫૩ પછી આપણ બંને મારી માતા પાસે જઈએ. ત્યાં રહ્યા છતાં તમે મારી માતાના ઉત્તર સાંભળશે.” પછી રત્નચૂડે સ્ત્રીને વેશ પહેર્યો. વેશ્યા રણઘંટા તેની સાથે રાત્રે પોતાની માતાના ઘરમાં ગઈ. તે સ્ત્રીવેષ ધારી રત્નચૂડને દેખી યમઘંટા બેલી–“પુત્રી, આ બાળા કોણ છે ?” રણઘંટા બોલી. “માતા, આ બાળા રૂપવતી નામે શ્રીદત્ત શ્રેણીની પુત્રી છે, તે મારી સખી છે. એ મને એકવાર મળે છે. આજે તેણી મને દિવસે મળી ન હતી, તેથી અત્યારે રાત્રે મળવાને આવી છે. તેણીને લઈને હું તમારી પાસે આવી છું.” આ વખતે જેમણે કપટ કરી રત્નસૂડનું સર્વ કરીયાણું લઈ લીધું હતું, તે પેલા ચાર ધૂત્ત વણિક યમઘંટાને ઘેર આવ્યા. તેમને ઉત્તમ આસન ઉપર બેસારી યમઘંટાએ પુછ્યું. “હે વણિકે, મારા સાંભળવામાં આવ્યું છે કે કેઈ વિદેશી વહાણવટી વેપારી અહીં આવ્યું છે?” તેઓએ ઉત્તર આપ્યો, “હા, આવ્યું છે.યમઘંટા પુનઃ બોલી, “તે તેનાથી તમને લાભ થયો કે હવે થવાનું છે? તે કહી આપ.” તેઓ બોલ્યા, હજુ લાભ થયે નથી.” વેશ્યાએ કહ્યું, “શી રીતે ?” પછી તેઓએ પિતાનું સર્વ કપટચરિત્ર કહી સંભળાવ્યું. તે સાંભળી યમઘંટા બેલી, એકથી તે તમને અવશ્ય હાની થશે.” તેઓએ પુછયું. “શી રીતે હાની થશે ? ” યમઘંટા બેલી, “તે ગુપ્ત વાત અત્યારે રાત્રે ન કહેવાય. કહ્યું છે કે, દિવસે છુપી વાત બરાબર તપાસીને બલવી અને રાત્રે તો બોલવી જ નહીં. કારણ કે, મહાન ધૂર્તલોકે રાત્રે ફર્યા કરે છે. તે વિષે વડના વૃક્ષ નીચે રહેલા એક વરરૂચિ નામના માણસને વીતી હતી.” તથાપિ તે ધૂર્તોએ અતિ આગ્રહ કર્યો, એટલે યમઘંટા ચોતરફ જોઈને બેલી. “તમેએ ઈચ્છિત વસ્તુઓથી તે મુસાફરનું વહાણ પુરી દેવા કબુલ કર્યું છે, તેથી તમને મેટી હાની થશે.” તે ધૂર્ત બોલ્યા, “અમારા ઘરમાં ઘણું બેટી વસ્તુઓ છે. તેનાથી તેના કહેવા પ્રમાણે તેનું વહાણ અમે પુરૂં કરી દઈશું.” બુદ્ધિવાળી યમઘંટા બોલી, “જે તે માણસ મચ્છરના અસ્થિથી પિતાનું વહાણ પુરવાનું કહેશે, તો તમે શું કરશે?” તેઓ બોલ્યા. “તેનામાં એવી બુદ્ધિ કયાંથી આવશે? કારણ કે, તે હજુ બાળક છે. લેકમાં વૃદ્ધ માણસને બુદ્ધિ હોય છે. કહ્યું છે કે, “એક વૃદ્ધ માણસ જેટલું જાણે છે, તેટલું કોટી યુવાને પણ જાણતા નથી. કદિ કોઈ રાજાને લાત મારે, તે પણ તે માણસ વૃદ્ધ વાક્યથી પૂજાય છે.” અકા યમઘંટા ફરી બોલી. “તે વાત એકાંતે સમજવી નહીં. કોઈ બાળક પણ બુદ્ધિમાન હોય છે. પુર્વે એક હક નામનો બુદ્ધિમાન બાળક હતો.” તે રેહક કોણ હતો?’ એમ તે ધૂર્ત વણિકોએ પુછ્યું એટલે તે વાચાલ વેશ્યા બોલી –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org