________________
પર
શ્રીવિમળનાથ ચરિત્ર. કેટલાએક બુદ્ધિમાન પુરૂષે આ પૃથ્વી ઉપર રહેલા છે. પણ સ્ત્રીચરિત્રના પારંગત વિદ્વાનો મળતા નથી.” તે વખતે ચોથા માણસે કહ્યું. “જુ, આ કઈ બુદ્ધિમાન આવ્યા છે. તે આપણા સદેહને દુર કરી આપશે. હવે ઉદ્ધત વાદ-વિવાદ કરશે નહીં.” પછી પેલા ત્રણ વણિકેએ સાથે મળીને ચોથા વણિકને ફરીવાર કહ્યું કે, “જે તે અમારું કહેલું માપ કહી આપે, તો તે ખરા બુદ્ધિમાન કહેવાય.” ચોથા વણિકે કહ્યું. “તમારે જે માપ કરવાની રૂચિ છે, તે માપ આ પુરૂષ પોતાની બુદ્ધિથી કરી આપશે. બુદ્ધિની આગળ મુશ્કેલ શું છે ?” પછી તે ત્રણે વણિકે બેલ્યા, ગંગાનદી તો અહીંથી દૂર છે. તેથી તે વિષે શું કહેવું? પરંતુ આ સમુદ્ર તો સમીપે રહેલ છે. તેના જળનું માપ આ પુરૂષની પાસે કરા દે.” પછી તે ચોથા માણસે કુમાર રચૂડને એટલે બધે ચડાવ્યો કે જેથી તેણે સમુદ્રના જળનું માપ કરી આપવા કબુલ કર્યું. એટલે ચારેજણ એક થઈ બોલી ઉઠયા કે, “જો તું સમુદ્રના જળનું માપ કરી આપીશ તો અમારી બધી લક્ષ્મી તારી, અને જો તું નહીં કરી શકે તો અમે બધા તારી લક્ષ્મી ગ્રહણ કરીશું.” આ પ્રમાણે કહી તે શઠહૃદયવાળા વણિકેએ તે વિષે સાક્ષીઓ કર્યા. તે સમયે રત્નચૂડે વિચાર્યું કે, “મારા પિતા રત્નાકર શેઠે પૂર્વે આ નગરના લોકો જેવા કહ્યા હતા. તેવા જ તેઓ નીવડ્યા. હવે હું મારે ઉતારે જાઉં. આ નગરને રાજા પણ તે જ છે. જે કદિ તે રાજા પણ મને સંકટમાં નાંખશે. તે પછી મારી શી ગતિ થશે?” આ પ્રમાણે ચિંતવી તે સરળહૃદયવાળે રત્નચૂડ પિતાને રથાને આવ્યું અને ત્યાં તે આવેલા સંકટમાંથી પોતાનો મોક્ષ (છુટકારો) શી રીતે થાય? તેનો આ પ્રમાણે વિચાર કરવા લાગે. “ કહેવત છે કે, જેમ દાવાનળને ઉપાય સામો દાવાનળ લગાડવાથી થાય છે, તેમ આ ધૃત્તલકનો પરાભવ અતિ વૃત્તબુદ્ધિવાળા માણસથી થશે અને તે અતિ ધૃત્તબુદ્ધિનું સ્થાન વેશ્યાનું ઘર હોય છે.” આવું ચિંતવી તે રણઘંટા નામની વેશ્યાને ઘેર ગયો. પેલા જુગારીએ આપેલા હજાર નૈયા તેણે વેશ્યાને અર્પણ કર્યા. તેથી સંતુષ્ટ થયેલી વેશ્યાએ તેનું ઉચે પ્રકારે સન્માન કર્યું. કીડાના કૌતુકથી રહિત એવા તેને જઈને રણઘંટા વેશ્યા બોલી કે, “હે સ્વામિન ! તમે ચિંતાતુર કેમ દેખાઓ છે ? તેનું કારણ કહે.” પછી રચૂડે બધી યથાર્થ વાત કહી તેને ઉત્તર પુછે. ત્યારે દાનને વશ થયેલી વેશ્યાએ તેને આ પ્રમાણે સત્ય વાત જણાવી. “હે સુંદર પુરૂષ, સાંભળેકદિ દેવગે કે પરદેશી માણસ આ નગરમાં આવી ચડે, તે તેનું ધન એ ધૂતારાઓ અવશ્ય પડાવી લે છે. તે પડાવેલા ધનમાંથી એક ભાગ રાજા લઈ લે છે, બીજો ભાગ મંત્રીને મળે છે, ત્રીજો ભાગ નગરશેઠને મળે છે, ચોથો ભાગ કાટવાળને મળે છે, પાંચમો ભાગ પુરહિત લે છે અને તેનો જ ભાગ મારી માતા ( અકા) ને મળે છે. કારણ કે તે તેને સર્વ પ્રકારની બુદ્ધિ આપનારી છે. હવે તમારે સ્ત્રીનો વેશ પહેર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org