________________
પર
દાન દેવા ઉપર રત્નચૂકુમારની કથા. ખુશી કરીશ.” એમ કહી કુમાર આગળ ચાલે, એવામાં તે કેટલેક આગળ ચાલ્યો તેવામાં કઈ ધૂર્તબુદ્ધિવાળ કાણે જુગારી તેની પાસે આવી આ પ્રમાણે છે.
કુમાર, મારી હકીકત સાંભળ. પૂર્વે તારે પિતા અહિં આવ્યું હતું. તે વખતે હું જુગારમાં એકહજાર સેનૈયા હારી ગયે. તે સમયે જેમ દિવસે કાગડાઓ ઘુડને ઘેરીને પજવે, તેમ બધા જુગારીઓ મળી મારી આસપાસ એકઠા થઈ કડવાં વચનેથી મને પજવવા લાગ્યા. ત્યારે તારા પિતાની પાસે આવીને મેં દ્રવ્યની માગણી કરી. તારા પિતાએ મને કહ્યું કે, “કાંઈ પણ ચીજ ઘરાણે મૂકીને ઘણું દ્રવ્ય લઈજા.” તેમને પુનઃ કહ્યું કે, “જુગારના વ્યસનથી ઘર, સુવર્ણ અને હેર વગેરે બધું મેં ગુમાવ્યું છે તો હવે તમને હું શું આપી શકું?” તારા પિતાએ કહ્યું, “જે એમ હોય તો ચાલ્યા જા, હું તને કાંઈ પણ આપીશ નહીં.” પછી પેલા જુગારીઓ મને મારવા લાગ્યા. તે વખતે મેં વિચાર્યું કે, “આ જુગારીઓ મને મારી નાખશે. તેથી મારા શરીરમાંથી કાંઈ પણ અંગ ઘરાણે મુકીને હું તે ઉપર દ્રવ્ય લઉં. બે પગ અને બે હાથ શિવાય તે કાંઈ પણ કામ થાય નહીં.” એવું વિચારી મેં મારી એક આંખ ઘરાણે મુકી, અને તારા પિતા પાસેથી દ્રવ્ય લીધું. તે શેઠ જ્યાં સુધી આ નગરમાં રહ્યા. ત્યાં સુધીમાં મને દ્રવ્ય મળ્યું નહીં. પછી તારા પિતા મારી એક આંખ લઈને પિતાને વતન ચાલ્યા ગયા, હવે મારી પાસે દ્રવ્ય થયું છે. તો તે દ્રવ્ય લઈ મને મારું નેત્ર સત્વર સોપીદે, કારણ કે, એક નેત્ર વિના મારું સુખ શોભતું નથી.” તે ધૃત્તના આવાં વચન સાંભળી રત્નસૂડે પિતાના મનમાં આ પ્રમાણે ચિંતવ્યું.-“આ માણસે જે કહ્યું. તેવું મેં પૂર્વે કદિ પણ સાંભળ્યું નથી, તો હવે શું કરવું ? અથવા આવી ચિંતા શામાટે કરવી ? જે ભાવી હશે તે થશે. હમણું પ્રાપ્ત થયેલું આ દ્રવ્ય શામાટે છેડી દેવું જોઈએ ? આવું મનમાં ચિંતવી તેણે તે દ્રવ્ય ગ્રહણ કરી પિલા ધુતારાને કહ્યું કે, “કાલે સવારે તમારે મારે ઉતારે આવવું.”
તે પછી રત્નચૂડકુમાર ચોટામાં ફરતો હતો, તેને જોઈ બીજા ચાર ધુત્ત વણિકો આ પ્રમાણે વાદ-વિવાદ કરવા લાગ્યા. તેઓમાં એકે કહ્યું કે, “સમુદ્રનું જળ અને ગંગાનદીની વેળ માપી શકાય છે પણ સ્ત્રીનું ચરિત્ર માપી શકાતું નથી.” બીજાએ કહ્યું.
હે મિત્ર, એમ ન બોલવું. જેવું સ્ત્રીનું ચરિત્ર માપી શકાય તેવું નથી, તેવું જ સમુદ્રનું જળ અને ગંગાનદીની રેતી પણ માપી શકાય તેમ નથી.” ત્રીજા એ કહ્યું, “અરે ! આમ ઉખળપણે કેમ બેલે છે? તું પ્રાચીન વિદ્વાનોના કરેલા સુભાષિતો જાણતા નથી. કહ્યું છે કે, “જેઓ સુખ, દુઃખ, જય, પરાજય, જીવિત અને મરણ જાણી શકે છે, તેવા તત્વવેત્તાઓ પણ સ્ત્રીના ચરિત્રની અંદર જરૂર મુંઝાઈ જાય છે. અપાર સમુકને પાર મેળવી શકાય છે, પણ સ્વભાવે વક એવી સ્ત્રીઓના દુષ્ટ ચરિત્રને પાર મેળવી શકાતો નથી. તેથી સમુદ્રના જળના અને ગંગાનદીની રેતીના માપના પારંગત એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org